Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપ્રીમ કોર્ટે ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી પી.પી. પાન્ડેયને હટાવવા આદેશ કર્યો

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (14:59 IST)
ઈશરત જહાં એન્કાઉન્ટ કેસમાં આરોપી એવા ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી પી.પી. પાન્ડેયેન અપાયેલું એક્ટેશન રદ્દ કરીને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દુર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. પાન્ડેયએ જ સુપ્રીમને પત્ર પાઠવી પદ પરથી હટવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીનો નિકાલ કરતાં રાજ્ય સરકારને પત્રનો અમલ કરવા આદેશ કર્યો હતો. હવે DGPનો ચાર્જ અન્ય અધિકારીને સોંપશે.

પી.પી. પાન્ડેયને રાજ્યના કાર્યકારી પોલીસ વડા બનાવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ હતી. શુક્રવારે આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે રાજ્ય સરકારને પોતાનો જવાબ આપવા એક મહિનાનો સમય આપવાની માગને ફગાવી દેતા સોમવાર સુધીમાં જ જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. પૂર્વ ડીજીપી જુલિયો રિબેરોએ પાન્ડેય અપાયેલા પ્રમોશન અને તેમની કાર્યકારી પોલીસ વડા તરીકેની નિમણૂંકને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. અગાઉ રિબેરોએ ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દેતા રિબેરોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments