Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના સામે જીતવા 1 કરોડ ગુજરાતીઓને વેક્સિનના બંને ડોઝ, કુલ રસીકરણ 4 કરોડ પાર થયું

Webdunia
બુધવાર, 18 ઑગસ્ટ 2021 (10:13 IST)
કોરોના સામેના જંગમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વેક્સિનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે જ્યારે કુલ 4,12,31,618 લોકોને રસી અપાઈ ચૂકી છે. આ રીતે ગુજરાતની લગભગ 60% વસતી વેક્સિનેશન હેઠળ આવી ગઈ છે.કુલ 19,66,730 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. તેવી જ રીતે 15,87,996ને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. 45 વર્ષથી વધુ વયના 1,37,52,102 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 72,84,786ને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. 18થી 45 વયજૂથના 1,55,22,003ને જ્યારે 11,18,001ને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય કર્મીઓને આ વ્યાપક રસીકરણ દ્વારા વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સિનેશન અભિયાનમાં આવરી લેવાની કર્તવ્ય નિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા છે.રવિવારે રાજ્યમાં 3 લાખ 73 હજાર 162 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 7થી 13 ઑગસ્ટના અઠવાડિયામાં સૌથી વધુ 35.39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 26.68 લાખને પહેલો ડોઝ અને 8.71 લાખને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2.16 કરોડ પુરૂષો જ્યારે 1.80 કરોડ મહિલાઓનું રસીકરણ કરાયું છે. રાજ્યની અંદાજિત કુલ વસતી 6.79 કરોડ અનુસાર, 58% લોકોનું રસીકરણ થયું છે જેમાં 44%ને પહેલો ડોઝ જ્યારે 14%ને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરનાઅંદાજે 1.83 કરોડ લોકો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments