Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના વિદ્યાર્થીઓએ પોલેન્ડ બોર્ડર પાસે માઇનસ 2 ડિગ્રીમાં આખી રાત પસાર કરી, કોઈ સહારો ન મળ્યો

Webdunia
સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (11:47 IST)
યુક્રેનમાં પોરબંદર જિલ્લાના વધુ 3 છાત્રો ફસાયા છે. કુલ 10 વિદ્યાર્થીઓ  યુક્રેનમાં છે અને સલામત હોવાનું તંત્રએ જણાવ્યું છે. પોલેન્ડ બોર્ડર નજીક પહોંચેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે માઇનસ 2 ડિગ્રીમાં આખી રાત પસાર કરી છે. હજુ સુધી તો હાલાકી ભોગવી રહયા છે તેવું જણાવ્યું છે.રશિયાના યુક્રેન પરના હુમલા યુદ્ધમાં યુક્રેનમાં પોરબંદર જિલ્લાના 10 છાત્રો ફસાયા છે. જિલ્લા કલેટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, 10 છાત્રો માંથી 4 છાત્રો પૂર્વ યુક્રેનમાં કિવમાં છે જે જોખમી સ્થળ છે પરંતુ તેઓ પણ સલામત છે. પોરબંદરનો જયકીશન પરેશભાઈ ચંદારણા, એકતા વિજયભાઈ કુછડીયા, ભરત મુરુભાઈ ગોરાણીયા અને રાણાવાવનો હાર્દિક જોશી નામના ચારેય છાત્રો સાથે છે અને યુક્રેનમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં છે. જ્યારે કુતિયાણાનો યશ સંજયભાઈ સૌંદરવા, સોઢાણા ગામનો હરભમ અરજનભાઈ કારાવદરા, વિજય માલદેભાઈ કારાવદરા, જયરાજ અરભમભાઈ કારાવદરા નામના છાત્રો યુક્રેન વેસ્ટર્નમા છે અને આદિત્યાણાનો પ્રયાગ હિતેશભાઈ લાડાણી અને પૂજાબેન કાનજીભાઈ ભુવા પોલેન્ડ બોર્ડર નજીક છે. આ છાત્રો સહિત રાજ્યના લોકોને ભારત લાવવા માટે યુક્રેનના પોલેન્ડ અને હંગેરી બોર્ડર સુધી બસ મારફત લાવવામાં આવી રહ્યા છે અને ત્યાંથી ફ્લાઇટ મારફત ભારત લાવવામાં આવશે. આ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને માહિતગાર કરી તેઓને પરત લાવવા કાર્યવાહી હાથ ધરી છે. યુક્રેનમાં પોરબંદરના છાત્રો સાથે ટેલિફોનિક વાત કરી હતી અને ભારતીય એમ્બેસીની સૂચનાઓને અનુસરવા સલાહ આપી છે. આદિત્યાણા ગામનો પ્રયાગ લાડાણી ગઈકાલે પોલેન્ડ જવા બસમાં રવાના થયો હતો. પ્રયાગ સાથે સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે પોલેન્ડ બોર્ડર નજીક લાંબી કતારો છે. અહીં માઇનસ 2 ડિગ્રીમાં આખી રાત પસાર કરી છે. એમ્બેસી તરફથી કોઈ સહારો નથી. અહીં હાલાકી વેઠવી પડી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Smile Pay- રોકડ, કાર્ડ કે મોબઈલ નહી હવે ચેહરા દેખાડી કરો પેમેંટ જાણો કેવી રીતે

PM મોદીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બદલ માંગી માફી, બોલ્યા ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગુ છુ

કોલકતા રેપ અને મર્ડર કેસ : પીડિતાના પિતા અને હૉસ્પિટલ તંત્ર વચ્ચેની વાતચીતનો ઑડિયો વાઇરલ થયો

બાગેશ્વર ધામમાં વાંદરાની સુંદરતાથી મંત્રમુગ્ધ ઓરિસ્સાની મહિલા 'તે ખૂબ જ ગોરો છે'

સ્પાઇસજેટે 150 કર્મચારીઓને જબરદસ્તી રજા પર કેમ મોકલ્યા? 3 મહિના સુધી પગાર નહીં મળે

આગળનો લેખ
Show comments