Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના OBC પંચને વિખેરી નાંખવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

Webdunia
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (12:50 IST)
સરદાર પટેલ ગુ્રપના એક આગેવાને ગુજરાતના ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસ) પંચની રચનાની કાયદેસરતાને પડકારી આ પંચ વિખેરવા માટે જાહેર હિતની અરજી કરી છે. અરજદારનો આક્ષેપ છે કે ગુજરાત સરકારે કાયદો ઘડી આ પંચને બનાવ્યું નથી. ઉપરાંત આ પંચ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કામ પણ કરી રહ્યું નથી. ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે રાજ્ય સરકાર, ઓબીસી કમિશન અને સમાજિક ન્યાય વિભાગને નોટિસ પાઠવી છે. અરજદારની રજૂઆત હતી કે ૧૮-૩૧૯૯૩ના રોજ ઇન્દ્ર સહના વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા માર્ગદર્શક ચુકાદાના આધારે વર્ષ ૧૯૯૪માં ગુજરાતમાં ઓબીસી પંચની રચના કરવામાં આવી હતી. આ પંચની કાયદેસરતા વિશે માહિતી અધિકારનો ઉપયોગ કરતા અરજદારને જાણવા મળ્યું હતું કે ગુજરાત સરકારે ઓબીસી પંચની રચના માટે કોઈ ખરડો કે વિધેયક પસાર કર્યા નથી. ઉપરાંત આ પંચે તેની કાર્યવાહી માટે કોઈ સંપૂર્ણ નીતિ-નિયમો પણ બનાવ્યા નથી. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે દરેક જ્ઞાાતિનો ૧૦૦ ટકા સર્વે કરી તેને ઓબીસીમાં સમાવવી કે નહીં તેનો નિર્ણય કરવાનો હોય છે. અરજદાનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઓબીસી પંચે જ્ઞાાતિઓનો માત્ર સેમ્પલ સર્વે કરી ૩૯ જ્ઞાાતિઓને ઓબીસીમાં સમાવિષ્ટ કરી છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસની કલમ-૧૧ મુજબ ઓબીસીમાં આવતી જ્ઞાાતિઓનો દર દસ વર્ષે સર્વે કરવાનો હોય છે અને કોઈ તેમાં કોઇ જ્ઞાાતિ સધ્ધર જણાય તો તેને ઓબીસીમાંથી બાકાત કરવાની હોય છે. ગુજરાતમાં આવો સર્વે ક્યારેય હાથ ન ધરાયો હોવાની અરજદારની રજૂઆત છે. અરજદારનો આક્ષેપ છે કે નેતાઓએ તેમની જ્ઞાાતિના મત મેળવવા માટે રાજકીય વગથી તેમની જ્ઞાાતિઓનો સમાવેશ ઓબીસીમાં કરાવ્યો છે. રાજસ્થાનની હાઈકોર્ટમાં આ પ્રકારની પીટિશન થતા ત્યાંનું ઓબીસી પંચ વિખેરવામાં આવ્યું હતું. તેથી અરજદારની માગણી છે કે ગુજરાતમાં હાલનું પંચ વિખેરી કાયદેસર પંચ બનાવવામાં આવે અને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે તેના નીતિ-નિયમો બનાવવામાં આવે. ઉપરાંત જે જ્ઞાાતિઓ ઓબીસી માટે લાયક છે તેમનો સમાવેશ કરવામાં આવે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments