Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટને લીધે ચાર લાખ આંબા-ચીકુનાં ઝાડ કપાશે

Webdunia
સોમવાર, 25 જૂન 2018 (12:32 IST)
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કાયદામાં રાજ્ય સરકારે મુખ્ય ચાર જોગવાઈઓ સાથે મોટાભાગના અધિકારો ઝુંટવી લેવાયા છે અને ખેડૂતોને સાવ નોંધારા કરી દેવાયાના આક્ષેપ સાથે કૉંગ્રેસ અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ‘ખેડૂત સંપર્ક અભિયાન’ની શરૂઆત કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ૪ લાખ આંબા- ચીકુનાં ઝાડ કપાશે અને ૩૫૦૦ પરિવારો ઘરવિહોણાં થશે તેવા આક્ષેપો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કર્યો હતો. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વિરોધમાં ‘ખેડૂત સંપર્ક અભિયાન’ની શરૂઆત ૨૦ જૂનના રોજ અમદાવાદ ખાતેથી થઈ હતી. જ્યાં કૉંગ્રેસના રાજ્યસભાનાં સાસંદ અમી યાજ્ઞિક, એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમજ ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ દ્વારા ખેડૂતોની સાથે મીટિંગ કરી ખેડૂતોને તેમના મૂળભૂત અધિકારો અંગે જાણકારી આપી હતી. જ્યારે સરકાર ગેરકાયદેસર રીતે જમીન પડાવી રહી હોવાનું સમજાવ્યું હતું. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે ૧૫ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ કાયદામાંથી ખેડૂતોને ફાયદા કરાવતી ચાર જોગવાઈઓ હટાવી દીધી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો જ એક ભાગ છે. આ પહેલાં સરકારે માંડલ બેચરાજીના સરમાં ૧૧૦૦૦ હેકટર જમીન, દહેજમાં પીસીબીઆરમાં ૪૫૦૦૦ હેક્ટર જમીન, ધોલેરાસરમાં ૮૯૦૦૦ હેક્ટર જમીન, વડોદરા-મુંબઈ એકસપ્રેસમાં ૩૫૦૦ હેક્ટર જમીન સંપાદન પ્રક્રિયા કરી હતી. અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ૧૦૦૦ હેક્ટર જમીન સંપાદન કરાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનાં ૩૦૦ ગામનાં ૩૫૦૦ કુટુંબ ઘરવિહોણાં થઈ જશે. જ્યારે વલસાડ-નવસારી ખાતે ૪ લાખ કરતાં વધારે આંબા-ચીકુનાં ઝાડ કપાઈ જશે. જે માટે સરકારે કોઇ યોજના બનાવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments