Webdunia - Bharat's app for daily news and videos

Install App

૨૦૨૨ સુધીમાં ગુજરાત સરકાર ખેડૂતોની આવક ડબલ કરશે

Webdunia
મંગળવાર, 19 જૂન 2018 (11:48 IST)
વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં મળેલી નીતિ આયોગની ૪થી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં કૃષિ ક્ષેત્રે મનરેગાના વિનિયોગની ભલામણો માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિત કુલ સાત મુખ્યમંત્રીઓની એક સમિતિની રચના કરાઇ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિ તમામ શક્યતાઓની તપાસ અને ભલામણો માટે કામ કરશે. સાત મુખ્યમંત્રીઓમાં પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, બિહારની નીતિશકુમાર અને આંધ્ર પ્રદેશના એન. ચંદ્રાબાબુ નાયડુ તથા સિક્કિમના આમલિંગનો સમાવેશ થાય છે. આ સમિતિ કૃષિ ક્ષેત્રે વાવણી પહેલા અને પછીના સમયમાં મનરેગાનાં માધ્યમથી કૃષિ સંલગ્ન ગતિવિધિઓ થકી ખેડૂતોની આવકની વૃદ્ધિઓ અંગેનો અભ્યાસ કરશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારે જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતે મનરેગાનો ઇનોવેટીવ વિનિયોગ કરીને ખેડૂતોની આવક ડબલ કરવાનું જાહેર કર્યું છે. તાજેતરમાં જ ગુજરાતમાં સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ૩૨ નદીઓ પુન: જીવિત થઇ છે. ૧૩૦૦૦થી વધુ તળાવો ઉંડા થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments