Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંવનનકાળને ધ્યાનમાં રાખી ગીરમાં આજથી સિંહોનું ચાર માસનું લાંબુ વેકેશન

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (14:25 IST)
ગીરના સિંહ સહિત અન્ય વન્યજીવોના સંવનનકાળને ધ્યાનમાં રાખીને ગીરમાં આજથી સિંહોનું ચાર માસનું લાંબુ વેકેશન પડ્યું છે. સિંહ સહિત અન્ય પ્રાણીઓનો પણ ચોમાસા દરમિયાન પ્રજનન કાળ હોવાથી તેને અનુલક્ષીને તેમને ખલેલ પહોંચ નહીં તે માટે ગીરમાં આવેલા સફારી પાર્કમાં સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. 15 જૂનથી વિધિવત ચોમાસુ પણ બેસતું હોવાથી સાસણ ગીરના જંગલમાં આવેલા જુદા જુદા રૂટના કાચા રસ્તા પણ ખરાબ થઈ જતા હોવાથી તેમાં પ્રવાસીઓને લઈ જતી જીપ્સી અંદર જઈ શકતી નથી.  આ અંગે વનવિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જેટલા વન્ય પ્રાણી છે સિંહ, દીપડો, ચિત્તલની બ્રીડિંગ સાઈકલ વર્ષાઋતુમાં શરૂ થાય છે જેથી સાસણ ગીર સેન્ચુરીના વિવિધ રૂટ બંધ કરવામાં આવે છે અને ચાર માસ સુધી વેકેશન રહે છે. 15 ઓક્ટોબરના વેકેશન પૂર્ણ થયા બાદ પુન: લાયન સફારી ફરી શરૂ થશે. એક અંદાજ મુજબ ગત વર્ષે 5 લાખથી વધુ લોકોએ સાણસ ગીરની મુલાકાત લીધી હતી.  સાસણ ગીર સેન્ચુરીના દરવાજા આજથી ચાર માસ માટે બંધ કરી દેવાયા છે પરંતુ સિંહ પ્રેમીઓએ નિરાશ થવાની જરૂર નથી. ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક અને દેવળિયા પાર્કમાં સિંહોને નિહાળી શકાશે. વનવિભાગના જણાવ્યા મુજબ માત્ર સાસણ ગીરમાં સિંહોની વસતી વધુ હોવાથી ત્યાં સંવનનકાળને ધ્યાનમાં રાખીને ચાર મહિના લાંબુ વેકેશન રહેશે જ્યારે આંબરડી અને દેવળિયા સફારી માર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે જેથી સિંહપ્રેમીઓ અહીં આવી સિંહદર્શન કરી શકશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments