Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન વિષ્ણનો કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર અધિકારીને સરકારની નોટિસ

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (14:37 IST)
પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર હોવાનો દાવો કરનારા સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર રમેશચંદ્ર ફેફરને સરકારે નોટિસ ફટકારી છે. પોતાના અટપટા નિવેદનોથી ચર્ચામાં આવનારા મૂળે રાજકોટના રમેશચંદ્ર ફેફર વડોદરા સ્થિત પુનઃ વસવાટ એજન્સીમાં ફરજ બજાવે છે.છેલ્લા ૮ મહિનાના સમયગાળામાં માત્ર ૧૬ દિવસ નોકરી પર હાજર રહેનારા રમેશચંદ્ર ફેફરને ઉપરી અધિકારીઓએ શો કોઝ નોટિસ ફટકારી હતી.રમેશચંદ્ર ફેફરે તેના જવાબમાં જણાવ્યું હતું કે હું તો ભગવાન વિષ્ણનો દસમો અવતાર છું.મારે મારી કંટાળાજનક નોકરીમાં સમય પસાર કરવાનો હોય કે દેશને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાંથી બચાવવા માટે ઘરે બેસીને મેડિટેશન કરવાનુ હોય? ફેફરે પોતાના જવાબમાં પોતે જગદંબા માતાના પરમ ભક્ત હોવાનો અને મારી ભક્તિના કારણે જ ગુજરાતમાં દુષ્કાળ નહી પડયો હોવાનો પણ દાવો કર્યો હતો. રમેશચંદ્રના આ પ્રકારના જવાબથી સ્તબ્ધ થઈ ગયેલા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશ્નર(પશ્ચિમ) દ્વારા આ અંગે સરકારને જાણ કરવામાં આવી હતી.સૂત્રોનુ કહેવુ છે કે રમેશચંદ્ર ફેફરને હવે સરકારે નોટિસ ફટકારીને બેજવાબદાર વર્તણૂંક અંગે ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે.સરકાર દ્વારા આ અધિકારી જે જવાબ મોકલશે તેના આધારે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments