Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ડોનેશન માંગતી શાળા-કોલેજો સામે ACB કરશે કેસ

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (11:23 IST)
ગુજરાતમાં પહેલીવાર ડોનેશનના નામે ઊંચી ફી વસૂલતી શાળા અને કોલેજો સામે વાલીઓ ACBમાં ફરિયાદ નોંધાવી શકશે. ACB વાલીઓની ફરિયાદના આધારે ભ્રષ્ટાચારી શાળા-કોલેજો સામે કેસ કરશે. વાલીઓ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકશે. રાજ્યમાં પ્રથમ વખત જ આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સરકારના આદેશ છતાં અમુક શાળા-કોલેજો નમતું ઝોખવા તૈયાર નથી. તેઓ ડોનેશનના નામે ઊંચી ફી વસૂલી ભ્રષ્ટાચાર કરી રહી છે, ત્યારે તેમની સામે કડક કાર્યવાહી માટે પ્રથમ વખત ACBની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને વાલીઓની ફરિયાદને આધારે ACB જે-તે શાળા-કોલેજ સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરશે. શૈક્ષણિક ક્ષેત્રે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે ભ્રષ્ટાચારના દુષણને દૂર કરવા અને બેફામ ફી ઉધરાવતી શાળા-કોલેજો સામે વાલીઓને વધુ એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. વાલીઓ ટોલ ફ્રી નંબર - 1064 અને વોટ્સએફ નંબર - 9099911055 પર ફરિયાદ કરી શકશે. જે બાદ ACB હરકતમાં આવશે અને કેસ કરી સંચાલકો વિરુદ્ધ કડક પગલા હાથ ધરશે.ઉઘડતી શાળાએ વાલીઓને નવા સત્રની ખરીદી જીએસટીના કારણે સરેરાશ 1.56 ટકા જેટલી મોંઘી બની છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

આગળનો લેખ
Show comments