Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉના પંથકમાં સિંહોની પજવણી, વધુ એક વીડિયો વાયરલ થયો

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (12:19 IST)
ગીર સોમનાથ અને જૂનાગઢ જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો ઉચ્ચકક્ષા સુધી ગુંજે ત્યારે સોશ્યલ મિડીયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહણને બોલાવી મારણ માટે મરઘીની લાલચ આપવામાં આવી રહી છે. મોટાભાગે ગીર સોમનાથના ઉના નજીક તાજેતરમાં ગેરકાયેદસર સિંહ દર્શન મામલમાં અમદાવાદના ત્રણ અને સ્થાનિક મળીને ઝડપાયેલા શખ્સો દ્વારા આવી હરકત થતી હોવાનું તેના વિડીયો વાયરલ બહાર આવું છે.

એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ ગણાય છે પરંતુ આ વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ વનવિભાગની સંરક્ષણની પોલ ખૂલી ગઈ છે. અગાઉ પણ સિંહોની સતામણીની વીડિયો ક્લિપ સામે આવી ચૂકી છે. પરંતુ બુધવારે વાઈરલ બનેલા વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ હાથમાં મરઘી રાખીને સિંહણને લલચાવે છે અને તેને પાસે બોલાવે છે. મરઘી જોઈને સિંહણ તેમની નજીક આવે છે ત્યારે તેઓ મરઘીને દૂર લઈ લે છે. બાદમાં ફરીથી તેઓ મરઘી સિંહણની નજીક લઈ જાય છે અને જેવી સિંહણ તેને લેવા જાય છે ત્યારે ફરીથી તેઓ મરઘીને લઈ લે છે. આ ઘણા સમય સુધી આવું કર્યા બાદ અંતે તેમણે સિંહણને મરઘી આપી દીધી હતી અને સિંહણ તે લઈને જંગલમાં જતી રહે છે. આ દરમિયાન વીડિયોમાં અંદરો અંદર વાતો પણ સંભળાય છે જેમાં તે વ્યક્તિ કહી રહ્યો હોય છે કે તેના માટે આ દૈનિક ક્રિયા બની ગઈ છે અને તે સિંહણથી ડરતો નથી. થોડા સમય અગાઉ ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન બદલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ અંગે જંગલના મુખ્ય કન્ઝર્વેટર ડી.ટી. વસાવડાએ કહ્યું હતું કે આ ઉપરાંત અન્ય ઘણા વીડિયો અમને મળ્યા છે અને ગત મહિને અમે ગીર-ગઢડામાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા સાત લોકોની ધરપકડ કરી હતી. વીડિયોમાં જોવા મળે છે તેમ સિંહની પજવણી કરવામાં આવતી હોવા છતાં તે તેમના પર હુમલો કરતો નથી. સિંહો કદાચ આ પ્રકારે ભોજન મેળવવાથી ટેવાઈ ગયા હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments