Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટ યુવતીના ચક્કરમાં ફસાયેલા વેપારીનો કરુણ અંજામ, જાણો શું છે આખો બનાવ

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:43 IST)
ઉત્તર ગુજરાતના ડીસા પાલનપુર હાઈવે પર ફાયરીંગમાં હત્યાનો બનાવ બન્યા બાદ નવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે.  એક યુવતીને કારણે આ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. યુવતી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપીને વેપારીને બ્લેકમેલ કરી રહી હતી. આ યુવતીએ અન્ય વેપારીઓને પણ પોતાના શિકાર બનાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રવિવારે પાલનપુરમાં થયેલા ફાયરિંગમાં સંગીતા જોશીનું નામ બહાર આવ્યું છે. ગાંધીધામના વેપારી નરસિંગ અગ્રવાલ સંગીતાના પરિચયમાં આવ્યા હતા. આ પછી સંગીતાએ ગાંધીધામના વેપારી નરસિંહ અગ્રવાલને ઘરે બોલાવી બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સંગીતાએ પોતાના સાગરીત વિશાલ પંચાલ અને ભાજપના નેતાના પુત્ર વિજય સિરવાડિયા સાથે મળીને અગ્રવાલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી ફરિયાદ ન કરવા માટે 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, છેલ્લે આઠ લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરાયું હતું. સમાધાન પછી વેપારીને સંગીતાએ જલ્સા કરવાના બહાને બોલાવ્યો હતો. જોકે, વેપારી અગ્રવાલ પહોંચ્યો ત્યારે સંગીતા હાજર નહોતી. સંગીતાના સાગરીતો હાજર હતા અને તેમણે આઠ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. આ પછી રવિવારે પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી હોટલ રામ ઝુપડી હોટલ પર સમાધાન માટે ગાંધીધામના વેપારીને બોલાવાયો હતો. વેપારીએ સંગીતાને હાજર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. આ જ મુદ્દે તકરાર પછી વિશાલે ફાયરિંગ કરતાં વેપારી સાથે આવેલા યુવકને ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સંગીતા જોશીએ અગાઉ પણ દાંતીવાડા પાસે આવી જ રીતે એક યુવકને લૂંટ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સંગીતા જોશીના ઘરે તપાસ કરતાં તેના ઘરેથી એક ડાયરી મળી આવી છે. ડાયરીમાં ડીસા અને પાલનપુરના અનેક વેપારી, ડોક્ટરોના નામો હોવાની ચર્ચા છે. જોકે, સંગીતા અને બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. તે પકડાયા પછી વધુ વિગતો સામે આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments