Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાની પસંદગી કરી

Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (10:55 IST)
કોંગ્રેસ હાઈ કમાન્ડે હવે ભરત સિંહ સોલંકીનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે.   અમિત ચાવડાએ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે.  ભરત સિંહ સોલંકી સામે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓનો વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યાની અફવા પણ ઊડી હતી. જોકે તે સમયે કોંગ્રેસ અને ભરતસિંહ સોલંકીએ અફવા ગણાવી હતી. આ અંગે કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ તેમજ જનરલ સેક્રેટરી જનાર્દન દ્વિવેદીએ અખબાર યાદીમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. તેઓ ભરસિંહ સોલંકીનું સ્થાન લેશે. અધ્યક્ષ તરીકે ભરતસિંહે કરેલા ઉત્તમ કાર્યને પક્ષ બિરદાવે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. નવી ટીમ બનાવી રહ્યા છે તેમજ પાર્ટીને લગતા નિર્ણયો ખુબ ઝડપથી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં કોંગ્રેસને કેટલી સફળતા અપાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments