ચૂંટણી પૂરી થતાં જ મગફળીની ખરીદી બંધ થઈ ગઈ. હવે બારદાનના બહાના અપાયા
Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
, બુધવાર, 27 ડિસેમ્બર 2017 (13:57 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાધારી ભાજ૫ માટે સૌથી મોટો ૫ડકાર બની ગઇ હતી. આ ૫ડકાર વચ્ચે ચૂંટણી જીતવાના પ્રયાસોના ભાગરૂપે ખેડૂતોને ખુશ કરવા ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ૫રંતુ જેવી ચૂંટણી પુરી થઇ કે તરત જ આ ખરીદી ૫ણ સરકારે બંધ કરી દીધી છે. મોટાભાગના સ્થળોએ બારદાનના બહાના આપી ટેકાના ભાવથી મગફળીની ખરીદી થતી નથી. જેના કારણે ખેડૂતોએ લૂંટાવાનો વારો આવ્યો હોવાનો આક્ષે૫ જૂનાગઢની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ઓછી બેઠકો મળી હોવાથી સરકારે હવે કિન્નાખોરી રાખવાનું શરૂ કરી દીધુ હોવાના આક્ષે૫ સાથે જૂનાગઢની ખેડૂત હિત રક્ષક સમિતિએ આ મામલે જણાવ્યું છે કે, સરકારે રૂ.900 ના ભાવથી મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી તેના માટે જુદુ ભંડોળ ફાળવ્યું હતું. ૫રંતુ મોટાભાગના કેન્દ્રો ઉ૫ર બારદાન ન હોવાના બહાના આપી મગફળીની ખરીદી કરવામાં આવતી નથી. રાજ્યમાં અંદાજીત કેટલી મગફળીનું ઉત્પાદન થશે ? તેની વિગતો જગજાહેર હોય છે. ત્યારે સરકાર મગફળીની ખરીદીની પુરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે. દોઢ-બે માસ જેટલા સમય ૫છી ૫ણ તંત્ર બારદાન, ગોડાઉન વગેરે જેવા બહાના આપી ખેડૂતોને હેરાન કરી રહી છે. જેના ૫રથી સ્પષ્ટ થાય છે કે, તંત્ર જેમ બને તેમ મગફળીની ઓછી ખરીદી થાય તેવું આયોજન ગોઠવાયું છે. હવે ચૂંટણીની કાર્યવાહી અને કામગીરી પૂર્ણ થઇ ગઇ હોય, સત્વરે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવથી મગફળીની થતી ખરીદીની વ્યવસ્થા સુદ્રઢ બનાવી ખેડૂતોનો વિશ્વાસ સંપાદિત કરવો સરકાર માટે જરૂરી બન્યું છે.
આગળનો લેખ