Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે બનાસકાંઠામાં કેનાલનું પાણી બંધ કરી મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ વધારી હારનો બદલો લીધો : કોંગ્રેસ

Webdunia
બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:26 IST)
ભાજપે ચુંટણી જીતીને ખેડૂતો સાથે કિન્નાખોરી રાખવાનું શરુ કરી દીધું છે તેવું કોંગ્રેસે આજે આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ મોરબી સિરામિક ઉદ્યોગને મળતાં ગેસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. બનાસકાંઠા-સાંતલપુર, વાવ, રાધનપુર વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરી જીરાના પાક ને નુક્શાન થયું છે જેથી ૧૦ હજાર કરતાં વધુ ખેડૂતો મુશ્કેલીમાં છે. કોંગ્રેસે વધુ જણાવ્યું હતું કે બનાસકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરીને તેમજ સિરામીક કારખાનાઓ પર ગેસનો ભાવ વધારો ઝીંકીને ભાજપ સરકાર વિધાનસભા ચૂંટણીમાં જે તે વિસ્તારોમાં હારનો બદલો લઈ રહ્યું હોય તેવું દેખાય છે. ગેસના ભાવ વધારાથી એક લાખ સિરામીક કારખાનાઓ આર્થિક પાયમાલીનો ભોગ બન્યાં છે. ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગનું સૌથી મોટું હબ ગણાય છે. આ સિરામિક ઉદ્યોગ દસ લાખથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે આ ભાવ વધારો માઠી અસરો લાવનાર સાબિત થઇ શકે છે. કોંગ્રેસે ચીમકી આપતાં જણાવ્યું હતું આ બંને નિર્ણયો પાછા નહિ ખેંચાય તો લોકહિતમાં આંદોલન કરીશું.
 
Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments