Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધમાં ભેળસેળ કરતી 76 મંડળીઓ સસ્પેન્ડ કરાતાં ખળભળાટ મચી ગયો

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2017 (15:38 IST)
આરોગ્ય સાથે ચેડા કરતી 76 જેટલી દૂધની મંડળીઓને રાજકોટ ડેરી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. રૂપિયા કમાવી લેવાની લાલચમાં આ ડેરીઓ દ્વારા ફેટ વધારવા માટે દુધમાં ભેલસેળ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં રાજકોટ ડેરી દ્વારા 1 કરોડ રૂપિયાના ભેળસેળવાળા દુધનો નાશ પણ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અમૂલ કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

લોકોની જીવનજરૂરિયાતની વસ્તુ ગણાતા દૂધનો ભાવ છાશવારે વધતો હોય છે. વારંવાર ભાવ વધારો થતો હોવા છતાં પણ દૂધની મંડળીઓ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરીને દૂધમાં ભેળસેળ કરે છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ મંડળીની 8૦૦ થી વધુ મંડળી દ્વારા રાજકોટ ડેરીમાં દૂધ પહોંચાડવામાં આવે છે. રોજ ૪ લાખ લીટરથી વધુ દૂધ આ ડેરીમાં આવે છ. જોકે મંડળીમાંથી આવતા દૂધનું પહેલા લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે અને બાદમાં દૂધને ડેરીની અંદર મોકલવામાં આવે છે. ત્યારે રાજકોટની આ ડેરીમાં દૂધ મોકલતી ૭૬ મંડળીઓ દ્વારા દુધમાં ભેળસેળ કરતી હોવાનું બહાર આવ્યું છે. ડેરી દ્વારા મંડળીઓને ફેટ પ્રમાણે રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. તેથી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં મંડળી દ્વારા ફેટ વધે તેવી વસ્તુઓ દૂધમાં મિક્સ કરવામાં આવે છે. જેમાં યુરીયા ખાતર, ખાંડ જેવી વસ્તુઓ દુધમાં મિક્સ કરતા હોય છે, જેથી તેમાં ફેટ વધુ લાગે. જોકે રાજકોટ ડેરીમાં આવેલ આધુનિક લેબમાં ભેળસેળ કરનારા પકડાઈ ગયા હતા. ભેળસેળને કારણે રાજકોટ ડેરી દ્વારા 76 દૂધ મંડળીને 21 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. 21 દિવસ બાદ પણ 2૦ રૂપિયાના સ્ટેમ્પ પર તેમની પાસેથી લખાવવામાં આવશે કે તેઓ ભેળસેળ નહિ કરે. આ પ્રકારનું લખાણ લીધા બાદ જ મંડળીનું દૂધ ફરીથી લેવાનું શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments