Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસટી બસ પર તીર મારો, કંડક્ટરને છાતીમાં તીર વાગ્ચું

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (16:06 IST)
બુધવારે મોડી સાંજે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જઈ પરત ફરી રહેલી એસટી બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. તીરમારો એટલે જોરદાર હતો કે, ચાલુ બસે કંડકટરને છાતીમાં તીર વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. છોટાઉદેપુરથી રાજ્યની સરહદને અડીને આવેલ મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા ચાલતી ગુજરાત વચ્ચે એસટી બસો ચાલે છે. રેગ્યુલર શિડ્યુલ મુજબ, ગઈકાલે સાંજે 6:10 કલાકે છોટાઉદેપુરથી કઠ્ઠીવાડા જવા બસ રવાના થઈ હતી અને સાંજના 7 વાગે છોટાઉદેપુર પરત ફરી રહી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશની હદમાં આવેલ જંગલ વિસ્તારમા અચાનક બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. જેમાં સદનસીબે ડ્રાઈવર અને બસમા સવાર છ મુસાફરો બચી ગયા હતા. પરંતુ બારીના ખુલ્લા કાચમાથી આવેલ એક તીર કંડક્ટર ગોવિંદભાઈની છાતીમા ઘુસી ગયુ હતું. તીરને કારણે ગોવિંદભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તીર વાગ્યાની જાણ થતા જ એસટી બસના ચાલકે 108ને જાણ કરી હતી. ગોવિંદભાઈને છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. બનાવને લઈ બસના ચાલકે છોટાઉદેપુર પોલીસ મથકમા તીરમારો કરનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, આ તીરમારો કયા કારણોસર થયા છે તે જાણી શકાયું નથી.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments