Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ.ગુજરાત અને ઉ. ગુજરાતમાં ધોધમાર વરસાદ, વાવ તાલુકામાં સવા નવ ઇંચ જેટલો વરસાદ

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (14:43 IST)
ગાંધીનગર: રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મી.મી. એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના   થરાદમાં ૧૭૧ મી.મી. એટલે સાત ઇંચ અને દિયોદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં ૯૬ મી.મી., વલસાડના કપરાડામાં ૮૧ મી.મી., ડાંગમાં ૭૯ મી.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં ૬૩ મી.મી. અને ભરૂચના નેત્રાંગમાં ૫૧ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
 
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ૪૫ મી.મી., તાપીના સોનગઢમાં ૪૨ મી.મી., કચ્છના ભચાઉમાં ૩૯ મી.મી., સાબરકાંઠાના પોસીનામાં ૩૬ મી.મી., બનાસકાંઠાના ભાભરમાં ૩૫ મી.મી. અને કાંકરેજમાં ૩૪ મી.મી., ડાંગના વઘઇમાં ૩૧ મી.મી., જૂનાગઢના કેશોદ અને નર્મદાના તિલકવાડામાં ૩૦ મી.મી., અરવલ્લીના મેઘરજ, ભરૂચના વાલીયા અને નમર્દાના ગરૂડેશ્વરમાં ૨૯ મી.મી., અંકલેશ્વરમાં ૨૮, વિજાપુર, કવાંટ અને ઉચ્છલમાં ૨૭, સુરત શહેરમાં ૨૬, ઇડર અને ડેડીયાપાડામાં ૨૪ મી.મી. એમ મળી કુલ ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૨૮ તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments