Webdunia - Bharat's app for daily news and videos

Install App

છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં દિપડાએ 109 મગરમચ્છોએ 45 તથા સિંહોએ 13 લોકોનો ભોગ લીધો

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (15:45 IST)
એશિયાઈ સિંહોનું રહેઠાણ ધરાવતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાવજ કરતા દિપડાનો આતંક વધુ છે. વનવિભાગનો આંકડાકીય રિપોર્ટ એવું સૂચવે છે કે છેલ્લા આઠ વર્ષમાં દિપડાએ 109 લોકોનો ભોગ લીધો છે. ગુજરાતમાં વન્યપ્રાણી શ્રેણી 1 અને 2માં આવતા પશુઓથી મોતનો કુલ આંકડો 176 છે તેમાંથી 62 ટકા મોત દિપડાના હુમલામાં થયા છે. વન્ય પ્રાણીના હુમલાથી આઠ વર્ષમાં કુલ 1297 લોકો ઘાયલ થયા હતા. 2012-13થી 2019-20ના આઠ વર્ષના આંકડા એવું સૂચવે છે કે દિપડાના આતંકથી 109 લોકોએ જાન ગુમાવ્યા હતા. જયારે બીજા ક્રમે મગરમચ્છોએ 45 માનવીઓનો શિકાર કર્યો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મગરમચ્છોની મોટી સંખ્યા છે. સાવજોના હુમલામાં 13 લોકોના મોત થયા છે.વનવિભાગ દ્વારા માનવી-વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણનો આંકડાકીય રિપોર્ટ રાખવામાં આવે છે. ઝાડ પર ઉછળકુદ કરતા વાંદરાને કારણે પણ એક માનવીનું મોત થયું છે. વાઈલ્ડલાઈફ નિષ્ણાંત એચ.એસ.સિંઘે જણાવ્યું હતું કે સાવજ-દિપડા વસતી વધારા સાથે માનવવસાહતથી વધુ નજીક આવી ગયા હોવાના કારણોસર હુમલાના બનાવો વધ્યા છે. 2017માં દિપડાની વસતી ગણતરી કરવામાં આવી હતી. 1395 દિપડા હોવાનો આંકડો જાહેર થયો હતો. જો કે બીન સતાવાર રીતે 3000 દિપડા હોવાનો અંદાજ છે. સિંહોની વસતી ગણતરી 2015માં થઈ હતી ત્યારે 523ની સંખ્યા જાહેર થઈ હતી હવે તે એક હજારથી વધુ હોવાનો અંદાજ છે. રાજયમાં દિપડા તથા મગરમચ્છના હુમલાના બનાવો વધ્યા છે. છેલ્લા બે માસમાં જ દિપડાએ પાંચ માણસોને ફાડી ખાધા છે તેમાં ત્રણ અમરેલીમાં તથા એક-એક વલસાડ-ભરૂચમાં બનાવ બન્યા હતા. મગર મચ્છને લાગેવળગે છે ત્યાં સુધી વડોદરાની વિશ્ર્વામિત્રી નદીમાં જ 260 છે. 2015માં 6 માણસોનો ભોગ લીધો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments