Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંકલેશ્વરની GIDCમાં ધડાકા સાથે લાગી આગ, 1નું મોત, 5 કામદારોને દાઝ્યા

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (12:51 IST)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જીઆઇડીસી ખાતે હિમાની ઇન્ડસ્ટ્રીમાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગમાં 5જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યા છે. જ્યારે એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આગની લાગી હોવાની ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 
 
મળતી માહિતી અનુસાર આ કંપની ગત મોડી રાત્રે રાસાણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થયો હતો. જેમાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે 5 જેટલા કામગરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને જીપીસીબી દ્વારા ઘટનાની તપાસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
અત્રે નોંધનીય છે કે ગત બુધવારે ભરૂચ જિલ્લાની એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ભીષણ આગ લાગતાં આઠ કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે 50 લોકો દાઝી ગયા હતા. ગત 15 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં કંપનીમાં આગ લાગવાની ઘટના સર્જાઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments