Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના : દૈનિક કેસોમાં ઘટાડો, હવે સારવાર સરળતાથી મળશે?

Webdunia
સોમવાર, 3 મે 2021 (13:41 IST)
રવિવારે ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસો મળી આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે 153 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 5,94,602 થઈ ગઈ હતી.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર રાજ્યમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે 1,46,818 ઍક્ટિવ કેસો છે. જે પૈકી 732 દર્દીઓ વૅન્ટિલેટર સપોર્ટ પર છે.
 
નોંધનીય છે કે રાજ્યમાં પાછલા ઘણા સમયથી દરરોજ વધુ ને વધુ કેસો સામે આવવાને કારણે રાજ્યની ખાનગી અને સરકારી હૉસ્પિટલોની બહાર ઍમ્બુલન્સો અને દર્દીઓની લાઇનો લાગેલી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
 
કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓ સારવારના અભાવે હૉસ્પિટલોની બહાર જ મૃત્યુ પામ્યા હતા.
 
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના પરિણામે તમામ હૉસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ પેદા થયું હતું. અને પથારીઓની અછત સર્જાઈ હતી.
 
હવે અહીં પ્રશ્ન એ છે કે હવે જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો થવાનું વલણ દેખાઈ રહ્યું છે ત્યારે ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં પણ સુધારો લાવી શકાશે કે કેમ?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments