Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 જાન્યુઆરીએ દેશના 939 પોલીસ કર્મચારીઓને મળશે વીરતા પુરસ્કાર, ગુજરાતના 19 પોલીસ અધિકારીઓનો સમાવેશ

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (16:38 IST)
પ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કાર મેળવનાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓના નામની જાહેરાત કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 26 જાન્યુઆરીએ  દેશના કુલ 939 પોલીસ કર્મીઓને તેમના શૌર્ય માટે વીરતા પુરસ્કાર એનાયત કરશે જેમાં ગુજરાતના કુલ 17 પોલીસ અધિકારીઓ તથા 2 કર્મચારીઓને વીરતા પુરસ્તાર એનાયત કરાશે. 
 
ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પસંદગી
વીરતા પુરસ્કાર માટે ગુજરાતના 9 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પસંદગી કરાઈ છે આ તમામ અધિકારીઓ અને કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
 
189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે તો વિશિષ્ટ સેવા માટે 88 વીરોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 662ને સરાહનીય સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. પોલીસ મેડલ મેળવનારર 189 વીરોમાંથી 134 કર્મીઓને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની વીરતા બદલ સન્માનિત કરવામાં આવશે. દેશની સુરક્ષામાં અદમ્ય સાહસ દેખાડનાર વીર જવાનોને દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે વીરતા પુરસ્કારથી સન્માનિત કરાય છે.પોલીસ મેડલથી સન્માનિત થનારા વીરોમાં 10 વીરોને પોતાની બહાદુરી માટે છત્તીસગઢમાં પોલીસ મેડલ, દિલ્હી માટે 3, ઝારખંડ માટે 2, મધ્યપ્રદેશ માટે 3, મહારાષ્ટ્ર માટે 7, મણિપુર માટે 1, ઉત્તર પ્રદેશ માટે 1 અને ઓડિશામાં 9 વીરોને પોલીસ મેડલથી નવાજવામાં આવશે જેમણે પોતાની અદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું છે. સીઆરપીએફના 30 જવાનોને પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવશે. સાથે જ એસએસબીના ત્રણ જવાનોને પોલીસ મેડલ પણ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments