Webdunia - Bharat's app for daily news and videos

Install App

જવાન પૌત્રના મોતના આધાતમાં દાદીને આવ્યો એટેક, દાદી-પૌત્રની એક સાથે અંતિમયાત્રા

Webdunia
બુધવાર, 4 મે 2022 (13:08 IST)
આજકાલના બદલતા જમાનામાં આપણે ટાઈમ નથી ના ટેગ હેઠળ ઘણા સંબંધોને દૂર કરતા થઈ ગયા છીએ. આજે આપણે આપણા માતા-પિતા કે બાળકોને જો ટાઈમ ન આપી શકતા હોય તો ભવિષ્યમાં બાળકો તમને ટાઈમ આપશે એવુ વિચારવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. પણ યાદ રાખજો સંબંધોને ટાઈમ આપવો ખૂબ જરૂરી છે કારણ કે હવે એવો ટાઈમ આવ્યો છે કે ખુશીઓ પાસે પણ વધારે ટાઈમ નથી.. આવો જ એક કિસ્સો આવો જ કઈક કહે છે 
 
પાટનગરમા રહેતા પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યાના થોડા જ કલાકોમા દાદીનુ અવસાન થયુ હતુ. મુંબઇમા નાના દિકરાના ઘરે રહેવા ગયેલી 72 વર્ષિય વૃદ્ધાને ગાંધીનગરમા રહેતા મોટા દિકરાના દિકરા અને દાદીના પૌત્રનુ અકસ્માતમા મોત થયુ હતુ. આ બનાવની જાણ મુંબઇમા કરવામા આવી હતી. જેને લઇને દાદી ગાંધીનગર આવ્યા હતા અને પૌત્રનુ મોઢુ જોયા બાદ એટેક આવતાં તેમનું અવસાન થયું હતુ.
 
શહેરમાં સેક્ટર 22 વાસ્તુ નિર્માણ સોસાયટીના પ્લોટ નંબર 747/5મા રહેતા કિશન ઓમકારભાઇ ખેરનારના 18 વર્ષિય દિકરા પૃથ્વીનુ ગઇકાલે ચ6 સર્કલ પાસે એક્ટીવા સ્લીપ ખાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ તેનુ મોત થયુ હતુ. આ બનાવની જાણ પરિવારજનોએ તેમના સગા સબંધીઓને કરી હતી. જેમા મુંબઇમા રહેતા પૃથ્વીના કાકાને પણ કરવામા આવી હતી.
 
બે મહિના પહેલા ગાંધીનગરથી મુંબઇ નાના દિકરાના ઘરે રહેવા ગયેલા 72 વર્ષિય લીલાબેન ઓમકારભાઇ ખેરનારને પણ તેમના પૌત્રના અવસાનના સમાચાર આપ્યા હતા.જેને લઇને મૃતક પૃથ્વીના દાદી લીલાબેન નાના દિકરા સાથે ગાંધીનગર સવારે પહોંચ્યા હતા. પરિવાર શોકમગ્ન હતો અને દાદીનો લાડકો પૃથ્વી આ દુનિયા છોડી ગયો હતો. પોતાના પૌત્રનુ આ રીતે દાદીને ગમ્યુ ન હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments