Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ભાજપના ત્રણ ધારાસભ્યોએ ભોપાલકાંડ જેવી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી

Webdunia
ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (14:16 IST)
હાલમાં ગુજરાતના મુખ્યપ્રધાનને સુશાસનનો એવોર્ડ મળ્યો છે. ત્યારે બીજી બાજુ ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. એક બાજુ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા વિકાસનાં કામો ન થતાં હોવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યાની આગ હજુ ઓલવાય નથી ત્યાં તો ભાજપનાં અન્ય સભ્યોએ સરકાર સામે ગંભીર આરોપો કરતી રજૂઆત કરી છે. GNFC કૌભાંડને લઈ ભરૂચનાં 3 ધારાસભ્યોએ CMને પત્ર લખ્યો છે અને ભોપાલકાંડ જેવી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી છે.

ભરૂચના BJPના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના BJPના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને અંકલેશ્વરના BJPના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે CMને પત્ર લખી ફરિયાદ કરી છે. આ પત્રમાં ત્રણેય ધારાસભ્યોએ GNFCમાં કૌભાંડની ફરિયાદ કરી છે. સાથે તેઓએ GNFCમાં 85 ટકા રોજગારી ન અપાતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. GNFCમાં જોખમી કેમિકલ રખાતું હોવાની CMને રજૂઆત કરી છે.

સાથે તેઓએ આક્ષેપ મુક્યો કે, 7700 ટનની ક્ષમતા સામે વધુ જથ્થો છે. દુષ્યંત પટેલે સરકારના જાહેર સાહસ પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે દુષ્યંત પટેલે કહ્યું કે, GNFCના TDI પ્લાન્ટમાં ઉત્પાદનનો જથ્થો વધારે છે. TDIના ભરેલા ટાંકાથી ભોપાલ જેવી દુર્ઘટનાની આશંકા. એટલું જ નહીં પણ BJPના MLAના રાજ્ય સરકારના નિગમના MD પર ગંભીર આરોપ મુક્યા હતા. તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ કહ્યું કે, CM અને મુખ્ય સચિવને રજૂઆત કરાઈ છે. GNFCના MD આપખુદશાહીથી કાર્યવાહી કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments