Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચલણી નોટોના શણગારથી સજાવેલા ગણપતિના પંડાલમાં ભક્તોની લાગી લાઇન

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:42 IST)
ગુજરાત ફરી એક વાર લખપતી ગણપતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીના સાવરકુંડલા ખાતે આવેલા સદભાવના ગ્રુપનો ગણેશ પંડાલના ગણેશજીની પ્રતિમાને લાખો રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવતા ભાવી ભક્તો માટે આ ગણેશજી લખપતિ ગણપતિથી પ્રચલીત થયા છે. આ ગણપતિને 9 લાખ 99 હજાર 999 રૂપિયાની 10થી લઇને 2000 રૂપિયની નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિજી ને લખપતિ બનાવીને નવાજ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ.આજે અહીં રૂપિયા 999999 લાખ નો શણગાર કરવામાં આવ્યો છે.સદભાવના ગ્રુપમાં રોજે રોજ અવનવા શણગાર કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરેલી જિલ્લામાં માત્ર સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા રૂપિયાનો શણગાર કરવામાં આવે છે. સદભાવના ગ્રુપના ગણેશ પંડાલમાં લખપતિ ગણપતિના દર્શનાર્થે ભક્તો ઉતાવળે પગલે હોંશે હોંશે આવી રહ્યા છે. આ લખપતિ ગણેશજીને જોઇને લોકો એક નવોજ અનુભવ કરી રહ્યો છે.  9,99,999 રૂપિયાની ચલણી નોટોથી શણગાર કરતા ભાવિ ભક્તોની મોટી મોટી લાઇનો લાગી હતી. સદભાવના ગ્રુપ દ્વ્રારા વ્યસન મુકિત તેમજ ગાય બચાવો જેવા સમાજ ઉપયોગી કામ પણ આ ગણેશ ઉત્સવમાં કરવામા આવે છે. સાવરકુંડલામાં સેવાકીય પ્રવુતિથી પ્રસિદ્ધ પામેલ સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને છેલ્લા આઠેક વરસથી અલગ અલગ રીતે શણગાર કરી સમગ્ર જીલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. અને આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવુતિમાં વાપરીને સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments