Webdunia - Bharat's app for daily news and videos

Install App

સગીરા સાથે પ્રેમ કરતા યુવકનું સગીરાના પરિવારે અપહરણ કરીને નર્મદા કેનાલમાં ફેંક્યો

વેલેન્ટાઈન વીકમાં પ્રેમનો કરૂણ અંજામ

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (16:41 IST)
ગાંધીનગર જિલ્લાના વલાદ નજીક આવેલા ગામમાં રહેતા યુવકને ગામની જ સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી પંખીડા અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફરતાં હોવાની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું ઇકો ગાડીમાં અપહરણ કરી લીધું અને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકને નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. કૃષ્ણનગર પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે યુવકની કેનાલમાં તપાસ શરૂ કરી છે. 
 
ગાંધીનગરના વલાદ ગામના યુવક જીજ્ઞેશસિંહને ગામની જ સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવક અને સગીરા બહાર ફરતા હતા ત્યારે તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં કૃષ્ણનગર વિસ્તારમાં હોવાને લઇ ઇકો ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. કૃષ્ણનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ કરી હતી. અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે લોકડાઉન ની શરૂઆત દરમિયાન યુવક અને સગીરા એકબીજાના પ્રેમમાં પડયા હતા.
 
અપહરણ કરી યુવકને ફાગવેલ નજીક લઈ ગયા હતા અને ત્યાં કેનાલમાં જીજ્ઞેશસિંહને નાખી દીધા હતા.કૃષ્ણનગર પોલીસે સગીરા ના માતા પિતા છત્રસિંહ બીહોલા, વિભાબહેન અને દિલીપસિંહ તથા અજીતસિંહ સહીત ચારેય આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા માટે થઈને કેનાલ ગોતાખોરો મારફતે રોજના બે થી અઢી કિલોમીટર સુધી તપાસ ચાલુ રખાઈ છે. જ્યારે યુવકનો મૃતદેહ મળશે તો પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments