Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણામાં 8 લોકોની હત્યા કરી ફરાર આરોપી ગુજરાતથી પકડાયો

Webdunia
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (13:24 IST)
જમીન વિવાદના લીધે હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય તથા તેમના પરિવારના 8 લોકોની હત્યા કરી ફરાર સંજીવ ઉર્ફે ઓમ આનંદગિરીને અંબાલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તથા મેરઠ પોલીસે સાધુના વેશમાં અમરેલીથી ધરપકડ કરી છે. 
 
સામુહિક હત્યાકાંડનો આરોપી સંજીવ ઉર્ફે ઓમ આનંદગિરી અમરેલી રાજુલામાં છતલિયા આશ્રમ બનાવી રહેતા હતા. હિસાર બરવાલાના પૂર્વ ધારાસભ્ય રેલુરામ પૂનિયા તથા સાત અન્ય પરિવારના સભ્યોની સંજીવે પોતાની પત્ની સોનિયા સાથે મળીને 23 ઓગસ્ટ 2001માં એક ફાર્મ હાઉસ પર હત્યા કરી દીધી હતી. 
 
સોનિયાના જન્મદિવસ પર આ તમામ પરિજનોને ફાર્મહાઉસ પર બોલાવી સોનિયા તથા સંજીવે પહેલાં તેમને નશીલા પદાર્થ ખવડાવી બેભાન કરી દીધી તથા બાદમાં એક-એકના માથામાં સળીયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા. હત્યાઓએ આ દરમિયાન જોરદાર આતશબાજી કરી જેથી આ ભયાનક હત્યાકાંડની કોઇને ખબર ન પડે. 
 
હત્યાના આરોપમાં બંને સ્થાનિક કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, ત્યારબાદ આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી પરંતુ જૂન 2018માં પેરોલ પર છૂટીને સંજીવ ત્યાંથી ભાગીને ગુજરાત આવી ગયો હતો. અંબાલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તથા મેરઠ પોલીસે તેને મેરઠ હાઇવે પર દબોચી લીધો, પછી પૂછપરછમાં ખબર પડી કે તે ગુજરાતના આશ્રમમાં સાધુના વેશમાં છુપાયેલો હતો.
 
રાજુલાના આશ્રમના મહંતનું 5 વર્ષ પહેલાં નિધન થઇ ગયું હતું. પંજાબમાં તેના ગુરૂભાઇ ઇશ્વરાનંદના માધ્યમથી સંજીવ ત્યાં પહોંચ્યો હતો. અમરેલીના રાજુલા ગામના છતલિયા આશ્રમમાં સાધુ વેશમાં છુપાયેલો રહ્યો. 23 ફેબ્રુઆરી 2020 ના રોજ સંજીવ ઉર્ફે આનંદગિરીએ અહીં કૃષિ મહોત્વનું પણ આયોજન કર્યું હતું જેમાં ગુજરાત રાજ્યપાલ તથા ઘણા સાધુ સંતોને આમંત્રિત કર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments