Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન, લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં

Webdunia
બુધવાર, 4 મે 2022 (11:10 IST)
અમદાવાદના પોલીસબેડામાંથી આઘાતજનક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને દુનિયાને અલવિદા કહ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં અને આખરે આ બીમારી સામે તેઓ જિંદગીની જંગ હારી ગયા છે. તેઓએ લતીફ ગેંગનો સફાયો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
એ.કે.જાડેજાનું પુરુ નામ અનિલસિંહ કનકસિંહ જાડેજા હતું. તેઓ 1982માં સબ ઈન્સપેક્ટર તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા. ત્યારબાદ 1990માં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક બન્યા હતા. તેઓએ અમદાવાદમાં ઓપરેશન લતીફની શરુઆત કરી હતી. આ ઓપરેશનમાં એ.કે.જાડેજાએ ગેંગના 18 જેટલાં સાગરિતોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદમાં લતીફ વહાબ ગેંગના સાગરિતોને ઝડપી પાડતા રાજ્ય સરકારે તેમની કામગીરીને બિરદાવી હતી. રાજ્ય સરકાર દ્વારા તેઓને 50 હજાર રૂપિયાનું ઈનામ પણ મળ્યું હતું.
 
એટલું જ નહીં તેઓએ 6 શીખ ત્રાસવાદી ઉપરાંત ખાલિસ્તાન લેબ્રેસન ફોર્સના સૂત્રધારોને રાઈફલો સાથે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત CID ક્રાઈમમાં 2011થી 2013 સુધી નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે ફરજ નિભાવીને અનેક ગુનાઓ ઉકેલ્યા હતા. 2001માં તેઓ IPS તરીકે નોમિનેટ થયા હતા. ત્યારે તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું હતું. ગોધરાકાંડ વખતે પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
આ ઉપરાંત કોમી હિંસા વખતે 1850 લોકોને બચાવ્યા હતા. 2001માં આઇપીએસ તરીકે તેઓ નોમિનેટ થયા, ત્યારે સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું. ગોધરાકાંડ વખતે કોમીહિંસા ફાટી નીકળી, ત્યારે તેમણે 650 મુસ્લિમ અને 1200 હિન્દુને સલામત સ્થળે રાખીને તેમના જીવ બચાવી એક ફરજનિષ્ઠ અને માનવતાવાદી ફરજ અદા કરી પોલીસફોર્સનું ગૌરવ વધાર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments