Webdunia - Bharat's app for daily news and videos

Install App

Flower Show 2019 - સીએમ રૂપાણી દ્વારા લોકાર્પણ, પહેલીવાર 10 રૂપિયા ટીકિટ રખાઈ

Webdunia
બુધવાર, 16 જાન્યુઆરી 2019 (17:09 IST)
કોર્પોરેશન દ્વારા આયોજિત ફલાવર શો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકો માટે ખુલ્લો મુકાયો. પહેલીવખત મુલાકાત લેનારા નાગરિકોને રૂા.10 એન્ટ્રી ફી આપવી પડશે. એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરીયામાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન કરાયું છે.

શહેરમાં આટલા જ વૃક્ષ છે.પહેલીવાર ઉત્તરાયણ પછી માત્ર સાત દિવસ માટે શો યોજાશે. અત્યારસુધી દસ દિવસ માટે શો યોજાતો હતો અને પછી પણ નાગરિકોની ડિમાન્ડને લઈને દિવસો વધારવામાં આવતા હતા પરંતુ વાઈબ્રન્ટ સમિટના કારણે આ વખતે શોનું આયોજન ડીલે કરાયું છે.

22 તારીખ સુધી યોજાનારા આ શોમાં અંદાજે 15 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેવાના હોવાનો દાવો મ્યુનિ.અધિકારીઓ દ્વારા વ્યકત કરાયો છે. ફલાવર શોમાં ખાણીપીણી માટે 50 જેટલા ફૂડ સ્ટોલ્સ ઊભા કરાયા છે. ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે લોકો જાણકારી મેળવી શકે તે માટે દસ પધ્ધતિઓ બનાવવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે 3 સેલ્ફી પોઈન્ટ છે.બુધવારે સવારે લોકાર્પણ થયા બાદ બપોરે બે વાગ્યાથી લોકો સાંજના નવ વાગ્યા સુધી ફલાવર શોની મુલાકાત લઈ શકશે. 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવવાના હોવાથી માત્ર સવારે 10 થી 12 વાગ્યા સુધી જ ફલાવર શો ચાલુ રહેશે. આ સિવાયના કોઈ પણ સમયગાળામાં નાગરિકોને એન્ટ્રી મળી શકશે નહીં. 18મીથી સવારે 10થી રાત્રિના 9 વાગ્યા સુધી લોકો જઈ શકશે.


  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments