Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0: આજે ગુજરાતના અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડનું આયોજન

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:19 IST)
'આઝાદી કા અમૃત મહોત્સવ- ભારત@75' ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ગુજરાતના અમદાવાદ, પોરબંદર અને આણંદમાં ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતના અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવશે.
 
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી 14 ઓગસ્ટના રોજ ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવેલ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોય આ ફ્રીડમ દોડમાં પણ શહેરના 75 યુવાઓ ભાગ લેશે. સવારે 8:00 કલાકે સીનિયર સિટીજનપાર્ક સરર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવશે.
 
આ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ દ્વારા સિનિયર સિટીજન પાર્કમાં પ્રથમ રાષ્ટ્રગાન ગાવામાં આવશે અને ત્યારબાદ અમર જવાન જ્યોતિ પર દોડ સમાપ્ત થશે. આ દોડમાં અમરેલી શહેરની વિવિધ યુવા સંસ્થાઓ/NGO/NSS તથા અન્ય 75 યુવાઓ દોડમાં ભાગ લેશે. દોડનો ઉદેશ યુવાઓનો શારીરિક વિકાસ થાય તેમજ રમત-ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એવો છે. આ કાર્યક્રમનું આયોજન કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments