Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના કોવિડ સેન્ટરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, તમામ દર્દીઓને સહીસલામત

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (09:03 IST)
રાજ્યમાં સતત વકરતા જતા કોવિડ 19ના સંક્રમણના લીધે ગુજરાતની સ્થિતિ કથડતી જાય છે. સતત ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેકશન અછતના લીધે હોસ્પિટલની બહાર લોકોની લાઇનો લાગી છે. રાજ્યની મોટાભાગની કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ છે. ત્યારે અવાર નવાર કોવિડ સેન્ટરોમાં આગ લાગવાની ઘટના સર્જાઇ રહી છે.
 
તાજેતરમાં મળતી માહિતી અનુસાર સુરત શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગ એસીમાં બ્લાસ્ટ થતાં લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને માત્ર 30 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
 
ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ દર્દીઓને સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments