Webdunia - Bharat's app for daily news and videos

Install App

રઈસ ફિલ્મના પ્રમોશન કેસમાં શાહરુખ હાજર થાઓ, વડોદરા રેલવે પોલીસનું સમન્સ

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (11:38 IST)
ફિલ્મના પ્રમોશન માટે રેલવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વડોદરા રેલવે સ્ટેશને બોલિવુડ સ્ટાર શાહરૂખખાનને જોવા માટે અંધાધૂંધી સર્જાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટનામાં વડોદરાના યુવાને કરેલી અરજીના સંદર્ભે કોર્ટે રેલવે ડીવાયએસપીને 45 દિવસમાં તપાસ કરી તેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

રેલવે પોલીસે શાહરૂખ અને એકસેલ એન્ટરટેઇનમેન્ટના સંચાલકને એક અઠવાડિયામાં નિવેદન માટે તેડુ મોકલ્યું છે.  વડોદરા શહેરના સમા રોડ પર રહેતા જિતેન્દ્ર સોલંકીએ એડવોકેટ જુનેદ એલ.સૈયદ મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, ગત 23 જાન્યુઆરીએ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખખાને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના દરવાજા પાસે આવી બૉલ અને ભેટ સોગાદ ફેંકતાં ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. જેમાં હાથીખાનાના ફરીદખાનનું મોત થયું હતું. જેની તપાસ થવી જોઇએ. ઘટના સંદર્ભે કોર્ટે 45 દિવસમાં તપાસ કરી કોર્ટને રિપોર્ટ રજૂ કરવા માટે ડીવાયએસપી તરુણ બારોટને આદેશ કર્યો હતો. શાહરૂખખાન અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ કંપનીના સંચાલકને નિવેદન માટે સમન્સ પાઠવ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments