Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરના વનાણામાં વીજળી પડતા સસરા અને પૂત્રવધુના મોત આંબરડીમાં 2 બળદ, નંદાણામાં ભેંસનો ભોગ લીધો

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (10:31 IST)
જામનગર સહિત હાલારભરમાં ચોમાસાની સતાવાર વિદાય ટાંકણે ફરી જામજોધપુર અને લાલપુર પંથકમાં હળવો ભારે વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં મોડીસાંજે વરસાદની સાથે આકાશી આફત ઉતરી હતી જેમાં વનાણા ગામે વિજળી પડતા સસરા અને પુત્રવધુના મૃત્યુ નિપજયા હતા.જયારે ભુપત આંબરડી અને નંદાણામાં વિજળીથી ત્રણ અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા હતા.

જામનગર સહિત હાલારમાં એકાદ સપ્તાહથી વરસાદી મહદઅંશે વિરામ હતો.જોકે,જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં શુક્રવારે મોડીસાંજે વિજળીના કડાકા ભડાકા અને ગાજવિજ સાથે વરસાદ શરૂ થયો હતો. જે દરમિયાન વનાણા ગામે રહેતા ઇસ્માઇલભાઇ કાસમભાઇ કાતિયાર(ઉ.વ.55) અને તેના પુત્રવધુ નઝમાબેન લાખીયારભાઇ કાતિયાર (ઉ.વ.28) પર વાડીએ આકાશી વિજળી પડતા બંનેના મૃત્યુ થયા નિપજયા હોવાનો બનાવ બહાર આવ્યો છે.બનાવની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર દોડી ગયુ હતુ. જયારે ભૂપત આંબરડી ગામની એક વાડીમાં પણ વિજળી ત્રાટકતા બે બળદે જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત નંદાણા ગામે અવકાશી આફત ઉતરતા વિજત્રાટકે એક ભેંસનો ભોગ લીઘો હતો.ચોમાસુ સતાવાર વિદાય લે એ પુર્વે જ ફરી વિજળી ત્રાટકવાના જુદા જુદા બનાવમાં બે માનવ મૃત્યુ ઉપરાંત ત્રણ અબોલ પશુએ પણ જીવ ગુમાવ્યા છે.લાલપુરમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો.જેમાં મોડીસાંજ સુધીમાં 17 મીમી પાણી વરસ્યુ હતુ.જયારે ગ્રામ્ય પંથકમાં પણ હળવા ભારે વરસાદના વાવડ મળ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments