Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 1177 ખેતમજૂર, 132 ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું

Webdunia
સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:35 IST)
ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૩૦૯ ખેતમજૂર-ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. આ ચિંતાજનક અહેવાલ અનુસાર ખેડૂતો-ખેતમજૂરોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ૩૫.૫%નો વધારો નોંધાયો છે. તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૬માં સમગ્ર દેશમાંથી ૨૦૦૦૮ ખેડૂત, ૧૬૩૨૪ ખેતમજૂરોએ આત્મહત્યા કરેલી છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૬ દરમિયાન ૧૧૭૭ ખેતમજૂર અને ૧૩૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમ, ખેડૂતો કરતા ખેતમજૂરોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૬માં સૌથી વધુ ખેડૂત-ખેતમજૂરોએ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ ૨૩૫૨ સાથે મોખરે છે, જેમાં ૧૪૩૭ ખેતમજૂર અને ૯૧૫ ખેડૂતનો સમાવેશ થાય છે. તેલંગાણાને બાદ કરતા તમામ રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યામાં ઘટાડો અને ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો નોંધાયો છે. ખેડૂત અને ખેતમજૂરની આત્મહત્યામાં મોટો તફાવત હોય તેવા રાજ્યમાં ગુજરાત પણ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં ૨૪૪ અને વર્ષ ૨૦૧૬માં ૩૭૮ ખેતમજૂરો દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. આમ, ખેતમજૂરની આત્મહત્યાના પ્રમાણમાં ૫૦%નો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં ૨૦૧૫ અને ૨૦૧૬ની સરખામણીએ ખેડૂતોની આત્મહત્યામાં ૧૦%નો ઘટાડો થયો છે. પરંતુ આ સમયગાળામાં ખેતમજૂરની આત્મહત્યામાં ૧૦%નો વધારો નોંધાયો છે. તજજ્ઞાોના મતે ૨૦૧૪ અને ૨૦૧૫ના વર્ષમાં દુષ્કાળને લીધે આત્મહત્યાનું પ્રમાણ વધારે થયું હોઇ શકે છે. આ તમામ આંકડા એનસીઆરબી દ્વારા જારી કરવામાં આવેલા છે. મહારાષ્ટ્રમાંથી ૨૦૧૬માં ૨૫૫૦, ૨૦૧૫માં ૩૦૩૦ એમ કુલ ૫૫૮૦ ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાંથી ૨૦૧૬માં ૬૩૫૧ ખેડૂત- ૫૦૧૯ ખેતમજૂર, ૨૦૧૫માં ૮૦૦૭ ખેડૂત-૪૫૯૫ ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

કર્ણાટકમાં BJP MLA મુનીરથ્ના પર ક્રેકડાઉન; ધાકધમકી આપતા કોન્ટ્રાક્ટરની અટકાયત

Bihar fire- બિહારના પટનામાં ભીષણ આગની ઘટના; હોટેલ બળીને ખાખ થઈ ગઈ, કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ લોકો ચોંકી ઉઠ્યા

આગળનો લેખ
Show comments