Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોબાઈલ શોપમાંથી ચોરાયેલા મોંઘા ફોન બિહારની ચાદર ગેંગે નેપાળમાં વેચી માર્યા

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (11:00 IST)
ઘાટલોડિયા શાસ્ત્રીનગર પાસે આવેલી મોબાઈલ શોપમાંથી રૂ.45 લાખની કિંમતના મોંઘા મોબાઈલ ફોન બિહારની ચાદર ગેંગે ચોરી કરી, તે ફોન નેપાળમાં વેચ્યા હોવાનું અને ચોરી થયેલા ફોનમાંથી કેટલાક ફોન નેપાળમાં એક્ટિવ થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.શાસ્ત્રીનગરમાં આવેલી રાજુ જાપાનીની મોબાઈલ શોપના તાળા તોડીને ઘૂસેલા તસ્કરો મોંઘા મોબાઈલ ફોન સહિત રૂ.45 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનારી ગેંગ બિહારની ચાદર ગેંગ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બીજી બાજુ પોલીસને જાણવા મળ્યું હતું કે, દુકાનમાંથી ચોરાયેલા મોબાઈલ ફોનમાંથી કેટલાક ફોન નેપાળમાં એક્ટિવ થયા છે.ઝોન-1 ડીસીપી ડો.રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બિહારથી નેપાળ નજીક આવેલું છે અને ત્યાંથી બસ-ખાનગી વાહનમાં સરળતાથી નેપાળ જઈ શકાય છે. ચોરી થયેલા ફોન પણ નેપાળમાં જ એક્ટિવ થયાનું જાણવા મળતાં ચાદર ગેંગને પકડવા માટે પોલીસની ટીમ બિહાર મોકલવા તજવીજ આદરી છે.ડો.રવીન્દ્ર પટેલ, ડીસીપી ઝોન-1એ કહ્યું હતું કે, બિહારની ચાદર ગેંગે દિવાળીના સમયમાં સીજી રોડ પર આવેલા ઘડિયાળના શો રૂમમાંથી લાખો રૂપિયાની મોંઘી ઘડિયાળોની ચોરી કરી હતી. ચાદર ગેંગને પકડી પૂછપરછ કરતા ચોરી કરેલી ઘડિયાળ તેઓએ નેપાળમાં વેચી હોવાનું કબૂલ્યું હતું. નેપાળમાં એક જ સેલ્યુલર કંપની છે, પરંતુ દેશ બદલાઈ જતો હોવાથી આઈએમઈઆઈ નંબરને આધારે ફોન ટ્રેસ કરી શકાતો નથી. પોલીસ જાણતી હોવા છતાં તપાસ માટે નેપાળ જઈ શકતી પણ નથી.ચાદર ગેંગ બિહારથી ચોરી કરવા માટે જ સ્પેશિયલ અમદાવાદ આવે છે. એટલું જ નહીં નેપાળમાં મોબાઈલ-ઘડિયાળ સરળતાથી વેચાઈ જતાં હોવાથી આ ગેંગ મોબાઈલ-ઘડિયાળ શોપને જ ટાર્ગેટ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments