Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોબાઈલ શોપમાંથી ચોરાયેલા મોંઘા ફોન બિહારની ચાદર ગેંગે નેપાળમાં વેચી માર્યા

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (11:00 IST)
ઘાટલોડિયા શાસ્ત્રીનગર પાસે આવેલી મોબાઈલ શોપમાંથી રૂ.45 લાખની કિંમતના મોંઘા મોબાઈલ ફોન બિહારની ચાદર ગેંગે ચોરી કરી, તે ફોન નેપાળમાં વેચ્યા હોવાનું અને ચોરી થયેલા ફોનમાંથી કેટલાક ફોન નેપાળમાં એક્ટિવ થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.શાસ્ત્રીનગરમાં આવેલી રાજુ જાપાનીની મોબાઈલ શોપના તાળા તોડીને ઘૂસેલા તસ્કરો મોંઘા મોબાઈલ ફોન સહિત રૂ.45 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનારી ગેંગ બિહારની ચાદર ગેંગ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બીજી બાજુ પોલીસને જાણવા મળ્યું હતું કે, દુકાનમાંથી ચોરાયેલા મોબાઈલ ફોનમાંથી કેટલાક ફોન નેપાળમાં એક્ટિવ થયા છે.ઝોન-1 ડીસીપી ડો.રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બિહારથી નેપાળ નજીક આવેલું છે અને ત્યાંથી બસ-ખાનગી વાહનમાં સરળતાથી નેપાળ જઈ શકાય છે. ચોરી થયેલા ફોન પણ નેપાળમાં જ એક્ટિવ થયાનું જાણવા મળતાં ચાદર ગેંગને પકડવા માટે પોલીસની ટીમ બિહાર મોકલવા તજવીજ આદરી છે.ડો.રવીન્દ્ર પટેલ, ડીસીપી ઝોન-1એ કહ્યું હતું કે, બિહારની ચાદર ગેંગે દિવાળીના સમયમાં સીજી રોડ પર આવેલા ઘડિયાળના શો રૂમમાંથી લાખો રૂપિયાની મોંઘી ઘડિયાળોની ચોરી કરી હતી. ચાદર ગેંગને પકડી પૂછપરછ કરતા ચોરી કરેલી ઘડિયાળ તેઓએ નેપાળમાં વેચી હોવાનું કબૂલ્યું હતું. નેપાળમાં એક જ સેલ્યુલર કંપની છે, પરંતુ દેશ બદલાઈ જતો હોવાથી આઈએમઈઆઈ નંબરને આધારે ફોન ટ્રેસ કરી શકાતો નથી. પોલીસ જાણતી હોવા છતાં તપાસ માટે નેપાળ જઈ શકતી પણ નથી.ચાદર ગેંગ બિહારથી ચોરી કરવા માટે જ સ્પેશિયલ અમદાવાદ આવે છે. એટલું જ નહીં નેપાળમાં મોબાઈલ-ઘડિયાળ સરળતાથી વેચાઈ જતાં હોવાથી આ ગેંગ મોબાઈલ-ઘડિયાળ શોપને જ ટાર્ગેટ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments