Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના પૂર્વ પોલીસ કમિશ્નર જસપાલસિંગનુ 91 વર્ષે નિધન

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (18:23 IST)
વડોદરા શહેરની શાન ગણાતા ભગવાન નરસિંહજીના વરઘોડાથી રાતોરાત હીરો બની ગયેલા પૂર્વ પોલીસ કમિશનર તથા વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જસપાલસિંગનું રવિવારે મોડી રાત્રે 91 વર્ષની જૈફ વયે નિધન થયું છે.
પોલીસ તરીકેની પ્રશંસનીય કામગીરી 
 
આઈપીએસ ઓફિસર જસપાલસિંગ 1983માં વડોદરાના પોલીસ કમિશનર બન્યા હતા. તેઓ માત્ર 100 દિવસ માટે જ પોલીસ કમિશનર રહ્યા હતા. પરંતુ આ 100 દિવસમાં જ તેમણે બહુ જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેમના કાર્યકાળમાં વડોદરામાં હિન્દુ-મુસ્લિમ તોફાનો થયા હતા. આ દરમિયાન વડોદરામાં નરસિંહજીનો વરઘોડો નીકળવાનો હતો. રાજ્ય સરકારે પણ વરઘોડો નહિ કાઢવા કહ્યું હતું. ત્યારે જસપાલસિંગની કડક નિગરાની હેઠળે વરઘોડો નીકળ્યો હતો, અને તેમાં કોઈ જ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જેને પગલે જસપાલસિંગ લોકોમાં છવાઈ ગયા હતા. તેથી 100 દિવસમાં જ સરકારે તેમની બદલીના ઓર્ડર આપ્યા હતા અને વડોદરાવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. લોકોમાં હીરો બનેલા જસપાલસિંગે આખરે લોકચાહનામાં પોલીસ કમિશનર પદેથી રાજીનામું આપ્યું હતુ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments