Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વમંત્રી કાંતિ ગામીતની ધરપકડ, સગાઈમાં હજારોની મેદની બદલ 308 હેઠળ ગુનો નોંધાયો

Webdunia
બુધવાર, 2 ડિસેમ્બર 2020 (19:58 IST)
તાપી જિલ્લાના સોનગઢમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામિતનાં પૌત્રીની સગાઈમાં હજારો લોકો એકઠા થયા હતા. આ મામલે વિવાદ થયા પછી પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી છે.
 
કાંતિ ગામિત ઉપરાંત કાર્યક્રમના આયોજક એવા એમના પુત્ર અમિત ગામિત અને અન્ય લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
 
બેદરકારી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારપરિષદ યોજી કહ્યું હતું કે તાપી ઘટનામાં 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
અગાઉ વિવાદ બાદ કાંતિ ગામિતે લોકોની માફી માગી હતી.
 
સગાઈમાં ગરબાનો વીડિયો વાઇરલ થતાં ઘટના સામે આવી હતી.
 
આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે.
 
હાઈકોર્ટે ટકોર કરતાં કહ્યું કે જિલ્લાના એસપી અને સ્થાનિક પોલીસ શું કરી રહ્યા હતા?
 
રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે આ મામલે સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે.
 
આ મામલે અદાલતે તંત્રની અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
 
ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ટકોર કરતાં કહ્યું કે હવે આવું ફરી ન બને એ માટે યોગ્ય કાર્યવાહી કરો.
 
આ મામલે બપોરે ફરીથી સુનાવણી થશે.
 
આ વીડિયો એવા વખતે સામે આવ્યો છે જ્યારે ગુજરાત કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરમાં સપડાયું છે અને રાજ્યનાં મોટાં શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારે સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખીને લગ્ન કે અન્ય સામાજિક કાર્યક્રમોમાં 100થી વધુ લોકોએ ભેગા ન થવાનો નિર્ણય લીધો છે.
 
ગામિતે આ અંગે કહ્યું, "દર વર્ષે અમે ગામમાં તુલસીવિવાહના કાર્યક્રમનું આયોજન કરતાં હોઈએ છીએ. તો સોમવારે મારી પૌત્રીની સગાઈની સાથે-સાથે તુલસીવિવાહનો કાર્યક્રમ યો્જ્યો હતો."
 
"અમે લોકોને આમંત્રણ આપ્યું ન હતું, માત્ર વૉટ્સઍપ પર મૅસેજ કર્યો હતો અને લોકો આવી પહોંચ્યા. અમારી પૌત્રીની સગાઈ હતી તો બે હજાર માણસોનો જમણવાર રાખ્યો હતો."
 
"જમણવાર પછી ગરબાનો કાર્યક્રમ પણ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ડાન્સ કર્યો. હું મોટા કાર્યક્રમ માટે માફી માગું છું."
 
તાપી જિલ્લાના અધિકારીઓ પ્રમાણે જિલ્લામાં સોમવારે ચાર નવા કેસ સામે આવ્યા હતા. જે પૈકી બે સોનગઢ અને બે વ્યારા તાલુકાના હતા. હાલ જિલ્લામાં 22 લોકો કોરોના સંક્રમણની સારવાર લઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments