Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા અક્ષય પટેલ સહિત 8 ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે

Webdunia
શનિવાર, 27 જૂન 2020 (09:00 IST)
કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા 8 ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે. ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સવારે 11 વાગે પૂર્વ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણીની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવો ધારણ કરશે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં માર્ચમાં 5 અને જૂનમાં 3 ધારાસભ્યો સહિત 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 
 
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યોમાં કરજણના અક્ષય પટેલ, મોરબીના બ્રિજેશ મેરઝા, ડાંગના મંગળ ગામિત, કપરાડાના જીતુ ચૌધરી, અબડાસાના પ્રધ્યુમન જાડેજા, લીંબડીના સોમા પટેલ, ધારીના જેવી કાકડિયા અને ગઢડાના પ્રવીણ મારૂનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોના રાજીનામાથી ભાજપને ફાયદો પહોંચ્યો છે અને તેમના રાજ્યસભાના ત્રણેય ઉમેદવાર જીતી ગયા, જ્યારે કોંગ્રેસ ફક્ત એક સીટથી સંતોષ માનવો પડ્યો. 
 
ધારાસભ્ય અક્ષય પટેલ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે. તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના લીધે શક્તિપ્રદર્શન ન કરી શકાય. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાવાના છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અક્ષય પટેલ ઉપર વિશ્વાસ મૂકી અને જંગી બહુમતીથી જીતાડશે. તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારૂ લક્ષ્ય કરજણ વિધાનસભા વિસ્તારનો વિકાસ છે અને પાર્ટી સાથે તમામ બાબતોની વાત કરી છે. તેમણે કહ્યુ કે, પાર્ટી પણ મને આ કામમાં સહકાર આપશે. 
 
ભાજપે અભય ભારરદ્વાજ, રમીલાબેન બારા, અને નરહરી અમીનને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા અને ત્રણેય જીતી ગયા. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા હતા. જેથી શક્તિસિંહ ગોહિલ જીતી ગયા અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments