Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ સંગઠનમાં ફેરફારના એંધાણ, ત્રણ જિલ્લા અને એક શહેર પ્રમુખે આપ્યા રાજીનામાં

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (13:12 IST)
ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપ સંગઠનમાં ફેરફારના થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આજે ત્રણ જિલ્લાના અને એક શહેર ભાજપ પ્રમુખે રાજીનામાં આપ્યા છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ પ્રમુખોના રજીનામાં સ્વીકારી લીધા છે. ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે.

આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખે ત્રણ જિલ્લાના પ્રમુખો અને એક શહેર પ્રમુખ પાસેથી રાજીનામાં સ્વીકારી લીધા છે. આજે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખનુ પણ રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યુ છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. બીજી તરફ ભાવનગરમાં આંતરિક જુથ વિખવાદ સામે આવેલી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખનું રાજીનામું લેવામાં આવ્યુ છે. ભાજપમાં મોટા પાયે સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા છે. હવે જોવાનું રહેશે કે નવા પ્રમુખોના નામની જાહેરાત પ્રદેશ પ્રમુખ ક્યારે કરશે. હાલ આ રાજીનામાને કારણે રાજકારણમાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. આ અગાઉ વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ અને ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે રાજીનામાં આપ્યા હતા. આ રાજીનામાં બાદ ગણતરીના કલાકોમાં જ સી.આર.પાટીલે તુરંત બે નવા પક્ષ પ્રમુખોની નિમણૂક કરી દીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments