Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કૂલ બસનો અકસ્માત થતાં 22 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (13:28 IST)
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર પાસે આવેલ નવાપુરા ગામ નજીક આજે સવારે એક સ્કૂલ બસ અને ટ્ર્ક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં 22 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. બસ ડ્રાઈવરને મરણતોલ ઈજાઓ પહોંચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે 7-30 વાગ્યે મેમનગરમાં આવેલી દિવ્યાપથ સ્કૂલની બસ બાવળા વિસ્તારમાંથી શાળાના વિદ્યાર્થીઓને લઈને મેમનગર જઈ રહી હતી.

આ દરમિયાન નવાપુરા ગામના પાટિયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કાર મારી હતી. બસનો અણધાર્યો અકસ્માત થતા તુરંત જ ચાંગોદર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી જેમાં એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધો. 3થી 10માં અભ્યાસ કરતા અને બાવળા રહેતા ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. બસ ડ્રાઈવરને પણ મરણતોલ ઈજાઓ થઈ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments