Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિમોલિશનના મુદ્દે દમણવાસીઓ લાલચોળ :144 ની કલમ લાગુ કરાઈ

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (15:14 IST)
દમણમાં ૧૩૦ જેટલાં મકાનો સરકારી જગ્યા પર બંધાયેલાં હતાં જેની દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે ઘરથી બેઘર બનેલા લોકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. ગતરોજ બપોરથી નાની દમણથી મોટી દમણને જોડતો રાજીવ ગાંધી બ્રિજ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. તો દમણમાં ચક્કાજામ બાદ તંગ સ્થિતિ જોવા મળી. તેથી પ્રશાસન દ્વારા ૧૪૪ ધારા લાગુ કરાઈ છે.

ડિમોલિશનના વિરોધને પગલે દમણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ દમણવાસીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. ચક્કાજામમાં આવેલા લોકોની અટકાયત કરાઈ છે. ચક્કાજામ કરી પ્રશાસનનો વિરોધ કરતા લોકોને હટાવવા માટે પોલીસ દ્વારા બળનો પ્રયોગ કરાયો હતો. પોલીસ દ્વારા ટોળું વિખેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો.

‘દમણ પ્રશાસક પ્રફુલ પટેલ ગો બૅક’ના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. બીજી તરફ દમણમાં લોકોની અટકાયત વખતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમ દમણ ખાતે ધારા ૧૪૪ લાગુ કરાયા બાદ લોકો અને તંત્ર આમનેસામને આવ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે. ૭ જેટલી સ્કૂલોને તત્કાલીન જેલમાં પરિવર્તિત કરવામાં આવી છે.

લોકોને સમજાવવા માટે દમણના મામલતદાર ઠક્કર પણ લોકો પાસે પહોંચ્યા હતા, પરંતુ લોકોએ તેમની વાત સમજવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ પણ ટોળાને સમજાવવા પહોંચ્યાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments