Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાલીઓ ગુજરાત છોડી દે કહેનારા જિતુ વાઘાણીના શિસ્તભંગનાં પગલાં સાથે રાજીનામું લઈ લેવાની માંગ

Webdunia
શનિવાર, 9 એપ્રિલ 2022 (09:58 IST)
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યપાલ, વડાપ્રધાન સહિતને ફરિયાદ કરી જણાવ્યું છે કે, વાણી વિલાસ કરી સત્તાના પદમાં શિક્ષણને વેપાર બનાવનાર સંચાલકો સાથે સાઠગાંઠ રચી વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડી જવાનું જાહેરમાં નિવેદન આપતા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સામે શિસ્ત ભંગના પગલા સાથે રાજીનામું લેવું જોઈએ.

રાજકોટ ખાતે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જેમને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતુ હોય તે જે દેશ-રાજ્યમાં સારું લાગે ત્યાં જતા રહેવા ના નિવેદન સામે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ફરિયાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી છે. અગાઉ પણ બાળકો ખુલ્લામાં ભણતા હોય તો ભલે ભણે અમે ભણ્યા હતા તેવા નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે સુવો મોટો કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વાલી મંડળે જિતુ વાઘાણીને ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર આપ કોણ છો? તમે તો પોતાને જનતાના સેવક ગણાવો છોને? માલિક કેવી રીતે બની ગયા ? આ કઇ વાતનો દંભ છે? આ જનતા છે એક નહી હજાર વખત સવાલ પૂછશે અને દરેક વખતે તમારે જવાબ આપવો પડશે. ગુજરાતની શિક્ષણની સ્થિતિથી તમે સારી રીતે વાકેફ છો અને જો ન હોવ તો શિક્ષણમંત્રી જેવા પદે તમારે રહેવું જોઇએ નહીં. વાલીઓની તકલીફ જુઓ તેઓ પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે. ફી, નોટ-બુકસ, ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનના નામે લૂંટ ચાલી રહી છે અને તમે આત્મમુગ્ધ બનીને ગુજરાતના શિક્ષણને દેશમાં સર્વશ્રેષ્ઠ કહો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments