Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાનો અવાજ સાંભળીને જીવતો થયો મૃત બાળક, સામે આવ્યો હેરાન કરનારો મામલો

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (17:10 IST)
હરિયાણામાં એક એવો મામલો સામે આવ્યો છે જેનાથી દરેક કોઈ હેરાન છે. અહી પરિવારે એક બાળકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યુ હતુ. માતા પોતાના પુત્રનુ માથા પર વ્હાલ કરતી વારેઘડીએ બોલી રહી હતી - ઉઠી જા મારા બાળક, ઉઠી જા. ત્યારે તેના શરીરમાં હલચલ થવા માંડી. બીજીવાર સારવાર શરૂ થઈ અને તે બાળક જીવતો થઈ ગયો. હરિયાનાના બહાદુરગઢમાં ટાઈફોઈડથી પીડિત એક બાળકની દિલ્હીમાં સારવાર ચાલી રહી હતી. 26 મે ના રોજ એ ડોક્ટરોએ તે બાળકને મૃત જાહેર કરી દીધો. 
 
માતા પિતા બાળકને લઈને બહાદુરગઢ પરત ફર્યા. ઘરમાં હાહાકાર મચી ગયો. શોકાતુલ પરિવાર બાળકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યુ હતુ.  શબને આખી રાત રાખવા માટે બરફ અને સવારે દફનાવવા માટે મીઠાની વ્યવસ્થા કરી હતી. સગાવ્હાલાઓને સવારે સ્માશાન ઘાટ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું.માતાને બાળકના મરવાની વાતથી ખૂબ દુખી હતી. તે વારેઘડીએ બાળકને વ્હાલ કરીને જીવતો થવા માટે પ્રાર્થના કરી રહી હતી. 
 
માતા તેને વારે ઘડીએ પ્રેમથી હલાવીને જીવતા થવા માટે રડી રહી હતી.  સૂત્રોના જણાવ્યા મુજબ ચાદરની પૈકિંગમાં મુકેલા મૃત શરીરમાં થોડીવાર પછી હલચલ થઈ, તો માતાએ બાળકના પિતાને બૂમ પાડી. પિતાએ જ્યારે બાળકનો ચેહરો પૈકિંગમાંથી બહાર કાઢ્યો અને તેને મોઢા વડે શ્વાસ આપ્યો તો બાળકે પિતાના હોઠ પર દાંત માર્યા. આ જોઈને પરિવારના લોકોને આશા જાગી.   પછી 26 મેની રાતે જ બાળકને રોહતકની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ડોક્ટરોએ કહ્યું હતું કે તેના બચવાની માત્ર 15 ટકા જ આશા છે. સારવાર શરૂ થઈ. ઝડપથી રિકવરી થઈ અને હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને મંગળવારે ઘરે પહોંચ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments