Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુર-આબુરોડ પર યમદૂત બનીને આવીલી કાર ડિવાઇડર કૂદીને બાઇક સાથે ટકરાતા 3ના મોત

Webdunia
બુધવાર, 2 ડિસેમ્બર 2020 (10:39 IST)
મંગળવારે મોડી સાંજે પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલા સાંબાબા મંદિર નજીક  ફોરર્ચ્યુનર કાર ડિવાઈડર કુદીને કાર સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. આ ત્રણેય યુવકો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના હતા તેઓ પાલનપુરની એક ગેરેજમાં કામ કરતા હોવાનું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કારના ચાલકે કોઈ સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની તરફ ફંગોળાઇ ગઇ હતી અને એક બાઇક તેમજ કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા. 
 
અકસ્માત સર્જાતા લોકોના ટોળું ભેગું થઇ ગયું હતું. અને 108 મારફતે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 
સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ(ઉ.વ. 21) (કરજા રામપુરા),  હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.21) (કરજા રામપુરા)  વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી ચંડીગઢ સુધી ધરતી ધ્રુજી

અમદાવાદમાં હત્યા કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી

શિમલામાં મસ્જિદ સામે હિંદુ સંગઠનોનો મોટો વિરોધ, બેરિકેડ તોડવામાં આવ્યા

3 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર... બાળકી પીડાથી રડી રહી હતી, પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું

કબજે કરી 50 લાખનો દારૂની લૂંટ થઈ ગઈ Video

આગળનો લેખ
Show comments