Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાંડીયાત્રામાં ભાગ લેનાર તમામ 81 પદયાત્રીઓનો અને પોલીસકર્મી/ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

Webdunia
ગુરુવાર, 11 માર્ચ 2021 (15:26 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવશે.
અમદાવાદ 
સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે 12 માર્ચ એટલે કે આવતીકાલે શુક્રવારે દાંડીકૂચ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમની મુલાકાતે આવવાના છે ત્યારે ગાંધીઆશ્રમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં આવશે અને ડોમમાં હાજર રહેનાર તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.  તમામ પોલીસકર્મીઓનો ગાંધી આશ્રમમાં જ રેપીડ કોરોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીઆશ્રમમાં જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે તેઓ અને આશ્રમની કેટલીક મહિલાઓ પણ તે સમયે હાજર રહેવાની હોવાથી તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે. 
આશ્રમમાં તૈયારીઓનો આખરી ઓપ આપવામા આવી રહ્યો છે જેમાં ગાંધીઆશ્રમને સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે લોકો દાંડી યાત્રામાં ચાલવાના છે તેઓ તમામના પણ કોરોના ટેસ્ટ કરવામા આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોમ ઉભા કરવામાં આવશે. આજે સાંજે અથવા સવારે વહેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો પોઝિટિવ આવશે તેઓને દાંડી યાત્રામાં ભાગ લેવા દેવામાં નહિ આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments