Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓનલાઇન અભ્યાસે વિદ્યાર્થીઓનો લીધો જીવ, કરંટ લાગવાથી વિદ્યાર્થીનું મોત

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2020 (11:32 IST)
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણને વિવાદ સર્જાતા રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ આપવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ઘમાસાણ વચ્ચે દહેગામના પરા વિસ્તારમાં ધોરણ 4માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસ માટે ટીવી ચાલુ કરવા જતાં તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર દેહગામમાં ધોરણ 4ના વિદ્યાર્થી વનરાજસિંહ રૂપસિંહ પરમારને ટીવીનો કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોટાભાઇ કાળુસિંહ પરમારે જણાવ્યું હતું કે, શનિવારે સવારે શાળામાંથી પુસ્તકો મેળવી મારો નાનો ભાઇ વનરાજસિંહ ઘરે આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ટીવીમાં ઓનલાઇન શિક્ષણનું પ્રસારણ થતું હોવાની વાત સાંભળી મારા ભાઇએ ટીવી ચાલું કરતા મારા ભાઇને અચાનક કરંટ લાગ્યો હતો.
 
વનરાજસિંહએ એકદમ બૂમ પાડતાં મારા બા તેને છોડાવવા જતાં તેમને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો. હું નજીકમાં હોવાથી તરત જ મેં મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી. ત્યારબાદ તેને રિક્ષામાં ખાનગી દવાખાને લઇ ગયા હતા. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઓનલાઇન અભ્યાસનું પ્રસારણ જોવા જતાં દેહગામના પરિવારે પોતાનો દિકરો ગુમાવી દીધો છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments