Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સાઈબર ગુનાખોરીમાં 90 ટકાનો વધારો થયો

Webdunia
શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:29 IST)
સાઈબર ગુનાખોરી-ઓનલાઈન ફ્રોડમાં ગુજરાતમાં 89 ટકાનો ધરખમ વધારો થયો છે. આઈટી કાયદા તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2015માં 242 ગુના નોંધાયા હતા તે 2017માં વધીને 458 નોંધાયા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટમાં અપાયેલી આંકડાકીય માહિતી પ્રમાણે 2017માં ગુજરાતમાં 427 લોકો સાઈબર ગુનાખોરીનો શિકાર બન્યા હતા. 42 લોકો સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હતી. 41 એટીએમ ફ્રોડનો ભોગ બન્યા હતા. જયારે 10 લોકો વન-ટાઈમ પાસવર્ડ મારફત છેતરાયા હતા.

ગુજરાતના મુખ્ય શહેરો પૈકી અમદાવાદમાં 2016માં સાઈબર ગુનાના 77 કેસ હતા. તે 2017માં વધીને 112 થયા હતા. સુરતમાં 66 કેસ એક વર્ષમાં વધીને 105 પર પહોંચ્યા હતા. 2016ની સરખામણીએ સાઈબર ગુનાઓમાં 26.50 ટકાની વૃદ્ધિ થઈ હતી. જયારે બે વર્ષમાં 89 ટકાનો ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં 45 ટકા તથા સુરતમાં 59 ટકા વધુ સાઈબર ગુના નોંધાયા છે.
દેશભરમાં સૌથી વધુ સાઈબર ગુનાખોરી ધરાવતા રાજયોમાં ગુજરાતનો ક્રમ 12મો રહ્યો છે.
રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 458માંથી 305 સાઈબર કેસોમાં ઈરાદો છેતરપીંડી-ઠગાઈનો જ માલુમ પડયો હતો.. જયારે 79 કેસોમાં ગરબડ સર્જવાના ઈરાદે સાઈબર ગુના આચરવામાં આવ્યાનું બહાર આવ્યુ હતું. 24 કેસોમાં શારીરિક અત્યાચારનો આશય જણાયો હતો. છ કેસોમાં આરોપીઓએ વ્યક્તિગત દુશ્મનાવટને કારણે ગુના આચર્યાની કબુલાત આપી હતી. જયારે ત્રણ કેસોમાં આરોપીઓએ મશ્કરી-ટીખળ કરવાના ઈરાદે આવા કૃત્ય કર્યાનુ કહ્યુ હતું.
સાઈબર સેલના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી સાઈબર ગુનાગોરીમાં સતત વધારો થતો રહ્યોછે. દરરોજ સરેરાશ એક ફરિયાદ અરજી મલે છે તેના આધારે ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતિ વધી હોવાનુ માની શકાય છે. નાણાંકીય તથા સોશ્યલ મીડિયા આધારિત એમ બે પ્રકારે ફ્રોડ થતા હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments