Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા

Webdunia
શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:22 IST)
હીરા ઉદ્યોગમાં કામ કરતા અમદાવાદના રત્નકલાકારોને 25 ઓક્ટોબરથી 25 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. મોટા ભાગે રત્નકલાકારો સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં કે, અમદાવાદમાં જઈને કામ કરતા હોય છે. દિવાળીના વેકેશનમાં તેઓ તેમના વતન સૌરાષ્ટ્ર જવાનું વધારે પસંદ કરતા હોય છે. તહેવાર સીઝનને ધ્યાનમાં રાખીને બસના ભાડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર જતી બસોના ભાડામાં એક સાથે ત્રણથી ચાર ગણો વધારો થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં જે ભાડું લેવામાં આવે છે, તેના કરતા બેથી ત્રણ ગણુ વધારે ભાડું દિવાળીના વેકેશનના સમયમાં સૌરાષ્ટ્ર જતા લોકો પાસેથી વસુલવામાં આવે છે.

અમદાવાદમાં ખાનગી બસોના વધેલા ભાડાની વાત કરવામાં આવે તો અમદાવાદથી અમરોલી, બગસરા જવા માટે 350થી 750 સુધી, અમદવાદથી સાવારકુંડલા જવા માટે 350થી 800, અમદાવાદથી ઉના જવા માટે 400થી 900, અમદાવાદથી જૂનાગઢ જવા માટે 400થી 1,000 અને અમદાવાદથી મુંબઈ જવા માટે 600થી 1400 રૂપિયા ભાડું વસુલવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ ભાડાઓમાં હજુ પણ 100 રૂપિયાનો વધારો થયા તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદની જેમ સુરતમાં ખાનગી બસોમાં ભાડામાં બેથી ત્રણ ગણો વધારો થઇ રહ્યો છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને બીજી તરફ ખાનગી બસોના સંચાલકો બસનું ભાડું બેથી ત્રણ ગણુ કરીને બેઠા હોવાના કારણે રત્નકલાકારોને પોતાના વતન જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ખાનગી બસના વધારે ભાડામાંથી રાહત મળી રહે, તે માટે અમદાવાદ અને સુરતમાં ST વિભાગ દ્વારા વધારે બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાત રત્નકલાકારો માટે ખાસ ગ્રુપ બુકિંગની સુવિધા આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM મોદીના ઘરે આવ્યો સ્પેશ્યલ મેહમાન, નામકરણ પણ થયુ, જુઓ VIDEO

Terror Attack in Baramulla: ચૂંટણી પહેલા મોટી સફળતા, બારામૂલામાં 3 આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

આગળનો લેખ
Show comments