Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રોએશિયા વિનાશક ભૂકંપ : સાત મૃત્યુ, કાટમાળમાંથી લોકોને કાઢવાની કામગીરી યથાવત્

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (09:04 IST)
6.4ની તીવ્રતાના ભૂકંપે મધ્ય ક્રોએશિયાની ધ્રુજાવી દીધું, જે બાદ સાત લોકોનાં મૃત્યુ અને અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાની વિગતો આવી રહી છે.
 
ભૂકંપના આંચકા બોસ્નિયા, સર્બિયા અને ઇટાલીમાં પણ અનુભવાયા હતા.
 
12 વર્ષની બાળકીનું પણ મૃત્યુ નીપજ્યું છે, જેઓ પેટ્રીન્ઝામાં રહેતાં હતાં. વડા પ્રધાને કહ્યું છે કે તેમણે અહીંની મુલાકાત લીધી છે.
ગ્લિનામાં પાંચ લોકોનાં મૃત્યુની ખરાઈ કરવામાં આવી છે.
 
પેટ્રીન્ઝાના મેયરનું કહેવું છે કે લગભગ અડધો વિસ્તાર બરબાર થઈ ચૂક્યો છે અને લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે.
 
ક્રોએશિયાના મીડિયા પ્રમાણે વધુ એક મહિલાને પેટ્રીન્ઝાના ટાઉનહૉલના કાટમાળમાંથી કાઢવામાં આવ્યાં હતાં.
 
સ્થાનિક ચેનલ સાથે વાતચીત કરતાં મેયર ડારિંકો ડ્યુમબોવિકે કહ્યું, "લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે, અમે હાલ એ નથી જણાવી શકતા કે તેઓ મૃત છે કે ગંભીર."
 
72 વર્ષના સ્થાનિક મારિકા પાવ્લોવિકે સમાચાર સંસ્થા એએફપી સાથે વાત કરતાં કહ્યું, "બાથરૂમની તમામ ટાઇલ્સ તૂટી ગઈ છે, થાડીઓ પણ પડી ગઈ હતી."
 
તેઓ કહે છે, "અમે ઇચ્છીએ તો પણ પરત ઘરોમાં જઈ નથી શકતા, ત્યાં વીજળી જ નથી."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments