Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રોએશિયા વિનાશક ભૂકંપ : સાત મૃત્યુ, કાટમાળમાંથી લોકોને કાઢવાની કામગીરી યથાવત્

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (09:04 IST)
6.4ની તીવ્રતાના ભૂકંપે મધ્ય ક્રોએશિયાની ધ્રુજાવી દીધું, જે બાદ સાત લોકોનાં મૃત્યુ અને અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાની વિગતો આવી રહી છે.
 
ભૂકંપના આંચકા બોસ્નિયા, સર્બિયા અને ઇટાલીમાં પણ અનુભવાયા હતા.
 
12 વર્ષની બાળકીનું પણ મૃત્યુ નીપજ્યું છે, જેઓ પેટ્રીન્ઝામાં રહેતાં હતાં. વડા પ્રધાને કહ્યું છે કે તેમણે અહીંની મુલાકાત લીધી છે.
ગ્લિનામાં પાંચ લોકોનાં મૃત્યુની ખરાઈ કરવામાં આવી છે.
 
પેટ્રીન્ઝાના મેયરનું કહેવું છે કે લગભગ અડધો વિસ્તાર બરબાર થઈ ચૂક્યો છે અને લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે.
 
ક્રોએશિયાના મીડિયા પ્રમાણે વધુ એક મહિલાને પેટ્રીન્ઝાના ટાઉનહૉલના કાટમાળમાંથી કાઢવામાં આવ્યાં હતાં.
 
સ્થાનિક ચેનલ સાથે વાતચીત કરતાં મેયર ડારિંકો ડ્યુમબોવિકે કહ્યું, "લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે, અમે હાલ એ નથી જણાવી શકતા કે તેઓ મૃત છે કે ગંભીર."
 
72 વર્ષના સ્થાનિક મારિકા પાવ્લોવિકે સમાચાર સંસ્થા એએફપી સાથે વાત કરતાં કહ્યું, "બાથરૂમની તમામ ટાઇલ્સ તૂટી ગઈ છે, થાડીઓ પણ પડી ગઈ હતી."
 
તેઓ કહે છે, "અમે ઇચ્છીએ તો પણ પરત ઘરોમાં જઈ નથી શકતા, ત્યાં વીજળી જ નથી."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments