Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત વરરાજાના સંબંધીઓએ સાફો પહેર્યો તો જાન પર કર્યો પથ્થરમારો, 9 વિરૂદ્ધ FIR દાખલ

Webdunia
ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (14:07 IST)
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દલિત વ્યક્તિના લગ્ન સામેલ લોકો પર કેટલાક લોકોએ કથિત રીત પથ્થરમારો કર્યો હતો. એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે લોકો વરરજાના કેટલાક સંબંધીઓએ પરંપરાગત સાફો પહેરવા અને મ્યુઝિક વગાડવામાં આવતા નારાજ થયા હતા. અંબાલિયારા પોલીસ મથકના નિરીક્ષક આર એમ દામોરએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે સર્જાઇ હતી જ્યારે લીંચ ગામમાં લગ્ન હતા. તેમણે જણાવ્યું હતું કે રાજપૂત સમાજના નવ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 
 
વરરાજાના એક સંબંધી દ્રારા નોંધવામાં આવેલી ફરિયાદનો ઉલ્લેખ કરતાં અધિકારીએ કહ્યું હતું કે જાન જ્યારે ગામમાં પહોંચી તો લીંચના કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આરોપીઓએ લગ્નમાં સામેલ દલિત પુરૂષો અને મહિલાઓના સાફા પર વિરોધ પ્રગટ કર્યો હતો. તેમણે જાન પર પથ્થરમારો કર્યો હતો અને જાતિગત ટિપ્પણી પણ કરી હતી. 
 
ફરિયાદ અનુસાર ફરિયાદકર્તા અને પરિવારના અન્ય સભ્યોએ આરોપીઓ પાસે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને પથ્થરમારો રોકવાનો અનુરોધ કર્યો, એક આરોપીએ કથિત રીતે દુલહનના એક સંબંધી પર હુમલો કર્યો. દામોરે કહ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે તે વર પક્ષને લગ્ન દરમિયાન સાફો ન બાંધવા અને ડીજે સિસ્ટમ પર ગીતો ન વગાડવાની ચેતાવણી આપી હતી. તેમણે ફરિયાદ અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારવાની ધમકી આપી હતી. 
 
તેમણે કહ્યું કે નવ લોકો વિરૂદ્ધ રમખાણ, હુમલો, જાતિવિષયક ટિપ્પણી અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments