Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ બાથરૂમમાં સંબંધ બનાવવા માટે કરતો હતો મજબુર ના પાડે તો મારપીટ

Webdunia
રવિવાર, 18 ઑગસ્ટ 2019 (10:22 IST)
અમદાવાદમાં યુવતીએ પતિ સામે યૌન ઉત્પીડનનો કેસ 
બાથરૂમમાં સંબંધ બનાવવા કરે છે મજબુર ના પાડે તો મારપીટ કરે છે 
અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બાથરૂમમાં શારીરિક સંબંધથી ના પાડવાના કારણે પતિ તેની સાથે મારપીટ કરે છે. તે સિવાય મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાઓ મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે.
 
દહેજ માટે કરે છે હેરાન
ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગોમતીપુરમાં રહેનાર મહિલાએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, સાસરિયાવાળા હંમેશાં મને અડધી રાત્રે જગાવી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેના સિવાય મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો.
 
પતિના ભાઇ ઉપર પણ યુવતીનો આરોપ
મહિલએ જણાવ્યું કે, જ્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી હતી, ત્યારે તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી સંબંધ બનાવતો હતો. મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ કહ્યું કે, જ્યારે હું ઘરમાં એકલી હોવ ત્યારે પતિનો મોટો ભાઇ મારી સાથે જબરદસ્તી કરતો હતો. તેમણે જણાવ્યું કે, માત્ર સાસરિયાના લોકો જ નહીં પરંતુ પાડોશમાં રહેનાર એક મહિલા પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવી મને મારવા માટે કહેતી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ